________________
શ્રી. સુશીલ
અક્કાદેવીની વિશેષતા એ છે કે ભારતવર્ષીમાં જે સ્ત્રીએએ રાજ્ય ચલાવ્યાં છે તેમાં આ અક્કાદેવીની પણ ગણત્રી થાય છે. રાજકાજમાં એણે સારી નામના મેળવી હતી. શ્રી જિનેશ્વરદેવની અનુવિયની હતી. ૧૦૪૧ માં, સામેશ્વરના સમયમાં એક જૈન મંદિરને મુખ્ય મદદ કરી હતી.
અક્કાદેવી કિચુકાડની શાસનકર્તી હતી. એને એ હેાટા ભાઇઓ હતાઃ ( ૧ ) પાંચમે। વિક્રમા દિત્ય અને ( ૨ ) અય્યન. એક ન્હાના ભાઇ હતા અને ન્હાના ભાઇનેા પુત્ર, અનુક્રમે દ્વિતીય જયસિંહ તથા પ્રથમ સામેશ્વર હતા. એ ભાઇઓની હૈયાતીમાં અક્કાદેવી રાજ્ય ચલાવતી. ધારવાડ જીલ્લામાંથી મળી આવેલા સુડીને શિલાલેખ એની સાબિતી આપે છે. બીજો એક હાટુરના શિલાલેખ જણાવે છે કે અક્કાદેવી, વનવાસીમાં શાસનકર્તી હતી.
ઈ. સ. ૧૦૪૧ માં, અક્કાદેવીએ ગેાકાકના કીલા કરતા ઘેરા નાખ્યા હતા. એ ઉપરથી તેણી શાંત શાસનકા ઉપરાંત યુદ્ધમાં પણ આગળ પડતા ભાગ લેતી હૈાય એમ જણાય છે.
: અક્રિયાવાદ [ Fatalism, Determinism ] :
ભારતીય બધા દાર્શનિકા કક્ળ અને જન્માંતરવાદમાં માને છે. પૂના કયેાગે વમાન જન્મ મળ્યા છે એમ સૌ સ્વીકારે છે. ઉપનિષદોમાં પણ એ વાત છે અને પ્રચલિત લાકકથા પણ એને પુષ્ટિ આપે છે. કમફળ, અમેધ અદૃષ્ટરૂપે આપણા જીવનનુ નિયમન કરે છે. કફળની સામે થવાનું કાઇનામાં સામર્થ્ય નથી. હિંદુ સંપ્રદાય (ખાસ કરીને વહેવારમાં) ર્મોટે ભાગે અષ્ટવાદી છે.
અદષ્ટવાદીઓ–ઉદ્દામ અદૃષ્ટવાદીઓને એક વર્ષાં એવા પણ છે કે જે ક`ફળના પ્રભાવની વાત નથી માનતા. અદૃષ્ટની સત્તા અજબ છે એમ તે માને છે, અષ્ટની સત્તા જ માનવ જીવન ઉપર આણુ વર્તાવે છે એમ કહે છે; પણ સાથે સાથે તે એમ પણ કહે છે કે અદૃષ્ટ અને કફળને કંઇ સંબંધ નથી. અદૃષ્ટ એક સ્વાભાવિક નિયમ છે અને એ નિયમને અનુસરી જીવ જન્મ ધરે છે. એ નિયમને કાઇથી વ્યતિક્રમ થઇ શકતા નથી. કાઇ કાઇ કહે છે કે, નાની તે અજ્ઞાની બન્નેને ચતુર્ભૂતાત્મક શરીર ધારણ કરવુ પડે છે અને મૃત્યુ પછી એ ચારે ભૂત-પદાર્થ વિલીન થઇ જાય છે.( આ લેાકેા ક્ષિતિ, અપ્, તેજ અને વાયુ એવા ચાર મૌલિક પદાર્થો માને છે–આકાશનુ અસ્તિત્વ નથી સ્વીકારતા.) આવા એકાંત અદૃષ્ટવાદીઓની એક શાખા અક્રિયાવાદીના નામે પરિચિત છે.
એમને સ્વાભાવિક સિદ્ધાંત એવે છે કે કારણ સિવાય જન્મ જેવું કાર્યં ન સંભવે. મતલબ કે આપણા જન્મમાં કાઈ એક અપરજ્ઞાત કારણ છે. આવિક સંપ્રદાયના પ્રવક ગોશાળ જીવ-જગતમાં, કાર્યાંનું ઉત્પાદક કારણ નથી સ્વીકારતા. ગેાશાળને આ મતવાદ, ઉદ્દામપંથી અદૃષ્ટવાદીઓના અક્રિયાવાદ તરિકે ઓળખાય છે.
ઉવાસગ–દસા-એમાં ગેાશાળના અક્રિયાવાદ વિષે આવા ઉલ્લેખ છેઃ “ શક્તિ, સામર્થ્ય, પરિશ્રમ જેવી કાઇ વસ્તુ કે પ્રભાવ નથી. સમસ્ત વસ્તુઓ, વિષયેા અખડભાવે નિયમિત છે. ' અર્થાત્ પ્રત્યક્ષ કે પરાક્ષ જગતમાં કારણુ જેવું કઈ નથી, કારણ વિના પણ માણસ પવિત્ર તથા શુદ્દે ખની શકે. જગતમાં કાઈ, કાષ્ટના ઉદ્યમ કે પ્રયત્ન ઉપર આધાર રાખતું નથી.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
* ૪૧ *
www.jainelibrary.org