Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
- શ્રી. નાગકુમાર મકાતી સંપૂર્ણતા, સાધુજીવન એટલે સંપૂર્ણ જીવન” એવી અપેક્ષા રાખનાર વર્ગ પૈકીનો હું નથી. તેવી અપેક્ષા રાખવામાં આવે તે પછી “સિદ્ધ” માં અને “સાધુ” માં ફેર જ રહે નહિ. સાધુજીવન એ “સિદ્ધ” નું નહિ પણ તે માર્ગનું સાધક જીવન છે. તેમાં ત્રુટીઓ પણ સંભવી શકે અને તેથી જ તે પ્રગ-જીવન છે. જેટલું ઉત્કૃષ્ટ અને સત્ય રીતે તે જીવી શકાય તેટલે અંશે તેવું જીવન જીવનાર તે મહાત્મા.
શ્રી આત્મારામજીનું જીવન સત્યના પ્રયોગથી ભરપૂર જીવન છે. એક જ દાખલો લઈએ. તેઓ ઢંઢકમાંથી સંવેગી થયા. આ બનાવમાં ઢંઢકે માટે દિલગીર થવા જેવું કે સંવેગી માટે આનંદમાં ગાંડા બની જવા જેવું કાંઈ નથી. આમાં ઢંઢકોની હાર કે મૂર્તિપૂજકોના વિજય જેવું કાંઈ નથી. વિજય હોય તે તે સત્ય છે. પરાજય હોય તો તે અસત્ય છે. તેથી જ આ પરિવર્તનને બદલે તેની પાછળ રહેલી ઉત્કૃષ્ટ મનોદશા, નિદાને ભોગે પણ સત્ય સ્વીકારવાની તમન્ના અને નૈતિક હિંમતમાં જ તેમના જીવનની સાચી મહત્તા છે. આ પ્રાગ નિષ્ફળ ગયે હોત તે વિકાસ પામવાને સરજાયેલું ફૂલ હિમ પડવાથી કરમાઈ જાય તેમ તેઓશ્રીનું જીવન
શ્રી. નાગકુમાર મકાતી વાડાઓની સંકુચિતતામાં પૂરાઈને કરમાઈ જાત. પ્રયોગ સફળ થયા અને આખા જૈનસમાજમાં તેમનું સ્થાન અનેખું છે.
બીજો દાખલો લઈએ. શિકાગોમાં સર્વ ધર્મ પરિષદુ ભરાનાર હતી. શ્રી આત્મારામજીને ત્યાં જવાનું આમંત્રણ હતું. યમનિયમોના બંધનોથી પોતે જઈ શક્યા નહોતા. પરન્તુ જેન સિદ્ધાન્તોને પ્રચાર કરવા તેમનું દિલ તલસી રહ્યું હતું. તેમણે સ્વ. શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કર્યા. મુંબઈમાં પ્રખર વિરોધ જાગે. આ વિરોધ અસત્યને હતું, જેનેની નિર્માલ્યતાને હતે, પામરતાને હતો, સંકુચિત માનસનો હતે; પરંતુ આત્મારામજીને પોતાના અનુયાયીઓના કરતાં જે ધર્મના પોતે પ્રતિનિધિ હતા તે ધર્મનું વધારે અભિમાન હતું. છીછરા અનુયાયીઓ કદાચ ઓછા થાય તેની તેમને પરવા નહતી. સત્ય ધર્મને ફેલાવો એ તેમની અંતરછા હતી, તેથી વિરોધ છતાં શ્રી વીરચંદ રાઘવજીને તેમણે અમેરિકા મોકલ્યા, અને જેન સિદ્ધાન્તોને પ્રચાર દરિઆ પાર કરાવ્યું. સત્યને શતાબ્દિ ગ્રંથ ]
•: ૧૦૩ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org