Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
4477/44ZZIZYLE, Z122
[[લેખક તે શ્રીયશોવિજય જૈન ગુરુકુલના સંવર્ધક મુનિ ચારિત્રવિજયજીના શિષ્ય છે. તેઓશ્રી જણાવે છે કે “ શ્રી બૂઢેરાયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજના ગુરુજી થાય છે. તેમના પિતાનાં જ હસ્તલિખિત ચરિત્રના આધારે જ મૂળ મુદ્દા આપ્યા છે.’–સંપાદક ]
એમનું જન્મસ્થાન ભારતની વિરભૂમિ પંજાબ. જાતે રણજીતસિંહજીના વંશજ
- જેમની નસેનસમાં વીરત્વ અને સચ્ચાઈ ઠાંસી-ઠાંસીને ભર્યા હતાં. જન્મસ્થાન શીખજાતિની સહજ-સુલભ ખાનદાની, કુલગૈરવ અને ધર્મભાવના
એમનામાં જાગૃત હતી. ૧૮૫૭ના બળવા પછીના શાંત થતા જતા ભારતમાં એ ભડવીર પુરુષ ધાર્મિક બળ-કાન્તિ કરવા જ હતો. સં ૧૮૯૩ માં લુધિયાના નજીકના દુલવાં ગામમાં તેમનો જન્મ થયો. પિતાનું નામ ટેકસિહ, માતાનું નામ કમૅદે અને પિતાનું નામ બુટ્ટાસિહ. માતાનો એકનો એક લાડકવા “દેવના દીધેલા ” ની માફક ઉર્યો. “દેવના દીધેલાને જાણે ચરિતાર્થ કરવા જ હોય તેમ બચપણથી તેમને સંસાર પ્રત્યે અણગમો હતો–સાંસારિક વાસનાઓ અને સુખે પ્રત્યે વિમુખતા હતી. સંસ્કારી માતાએ એમાં પ્રાણ પૂર્યો અને બાલકને સન્માર્ગે વાળ્યો. એક વાર બુટ્ટાસિંહે માતાને સાફ સંભળાવ્યું: “મારે સાધુ થવું છે.” આ સાંભળતાં જ
પગ નીચેથી ધરતી સરતી હોય તેમ માતાને આંચકે લાગ્યું, પરંતુ ફકીરી ત્યાં તે સ્વનું યાદ આવ્યું. પુત્ર થશે પણ સાધુ થશે-જગત
વા થશે. ધીરતાથી માતાએ વાત્સલ્યભર્યો હાથ પંપાળતાં કહ્યું જા વત્સ ! જા સાધુ થા; પરંતુ સાધુ થયા પછી સંસારની મમતામાં ન પડીશ. સાચે સાધુ થજે.” માતાના આશીર્વાદ અને ઉન્ડાં ઉન્ડાં આંસુથી ભીંજાઈ બુટ્ટાસિંહ જગતના ચોકમાં સાધુ-સંતને શોધવા નીકળ્યો. પંજાબમાં ફરી સાધુ-સંતોની ખૂબ શોધખોળ કરી. અનેક સંત અને ફકીરને પરિચય સાથે કિન્તુ સાચી સાધુતાની ફેરમ તેમને શતાબ્દિ ગ્રંથ ]
- ૬૭ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org