Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
યોગ પ્રાપ્ત કરીને યથાશક્તિ ચારિત્રાચાર તેમજ તપાચારનું સેવન કરતા રહેવું જરૂરી છે. અન્યથા ગુરુતત્ત્વનો અનાદર કરીને સૂત્ર-અર્થ સ્વમતિકલ્પિત ભાવે કરવાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનું પરિણામ મિથ્યા જાણવું. જે કોઈ આત્મા પ્રથમ જ્ઞાન-દર્શન ગુણને પ્રાપ્ત કરીને, આત્મશુદ્ધિ કરવાનું ધ્યેય પ્રાપ્ત કરીને, આત્મશુદ્ધિના ઉપાયરૂપે ચારિત્રાચારતપાચારમાં સુગુરુની નિશ્રાએ યથાશક્તિ પ્રવર્તન કરશે, તેઓ નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરશે.
આમ, ધર્મ કેવળ શાસ્ત્રીય જ્ઞાનમાં નથી, પણ આચરણમાં છે. ધર્મ સૈદ્ધાંતિક માન્યતાઓમાં નહીં, પણ સિદ્ધાંતમય જીવન જીવવામાં છે. ધર્મ વિષે ચર્ચા કોઈ વખત લાભકારક બની શકે છે, કોઈ વખત નથી પણ બની શકતી, તો કોઈ વખત નુકસાનકારક પણ બની શકે છે. જો ધર્મચર્ચા દ્વારા જીવ ફક્ત બુદ્ધિવિલાસ જ કરે તો તે ધર્મચર્ચા તેના માટે લાભદાયક નથી થતી અને જ્યારે એ જ શ્રુતજ્ઞાન તેનામાં જ્ઞાની હોવાનો ખોટો દંભ ઉત્પન્ન કરે ત્યારે તે ધર્મચર્ચા તેના નુકસાનનું કારણ પણ બને છે. જ્યારે એ જ ચિંતનજ્ઞાન ધર્મનું આચરણ કરવાની પ્રેરણા ઉત્પન્ન કરે, માર્ગદર્શન આપે અને તેના પરિણામરૂપે જીવ જાગૃત રહી ધર્મનું આચરણ કરે ત્યારે જ તે કલ્યાણનું કારણ બને છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘બંધ મોક્ષ છે કલ્પના, તો શા માટે ત્યાગ; કરીને ગર્વ વધારવો, છોડી સુખનો લાગ. હું સત્ ચિત્ આનંદમય, ભાખે વાણી માંહી; પણ સમ્યગૂ નિજ જ્ઞાનની, ગંધ જણાય ન ક્યાંહી. સ્ત્રી ધન તન જડ યોગથી, અહર્નિશ એકાકાર; વર્તે મોહાવેશમાં, આકુળપણું અપાર. સાધન ધર્મ ક્રિયા ત્યજી, વિકાર વશ મન માંહી; કુમતિ કુશ્રુતથી ભર્યા, શુષ્કજ્ઞાની તે આંહી.”૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૭-૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org