Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૯
૩૮૫ આમ, કેવળજ્ઞાન પ્રગટ્યા પછી પણ કેવળી છમ0 ગુરુનો વિનય કરે એવાં અનેક દૃષ્ટાંતો પ્રથમાનુયોગના ગ્રંથોમાં મળી આવે છે. વિનયની મહત્તાનો તેથી વધુ સબળ પુરાવો શું હોઈ શકે? સ્વયં તીર્થકર ભગવાન પણ સમવસરણમાં દેશના દેતાં પહેલાં ‘નમો નિત્યમ્સ' કહીને તીર્થને નમસ્કાર કરીને વિનયના મહિમાનું પ્રતિષ્ઠાપન કરે છે. ભગવાન દેવનિર્મિત સુવર્ણકમળો ઉપર ચરણ સ્થાપન કરતાં કરતાં સમવસરણમાં પ્રવેશ કરે છે અને પછી અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી પૂર્વ દિશા તરફ આવી ‘નમો તિર્થીમ્સ' કહીને એટલે કે તીર્થને નમસ્કાર કરી, રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ, સિંહાસન ઉપર વિરાજમાન થાય છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. લોકને પૂજનીય વસ્તુની પૂજાનો આદર્શ આપવા માટે, એટલે કે તીર્થ - સંઘ પૂજનીય છે એ બતાવવા માટે, ભગવાન કૃતકૃત્ય હોવા છતાં સ્વયં સંઘને નમસ્કાર કરે છે. ભગવાન તીર્થને પૂજે તો લોકો પણ આદરપૂર્વક તીર્થની પૂજા કરે, એ માટે પણ ભગવાન તીર્થને નમસ્કાર કરે છે. આમ, પોતાના હૃદયમાં રહેલા પૂજ્યભાવ નમસ્કારરૂપ વિનય દ્વારા વ્યક્ત કરી, લોકોને વિનયનો બોધ આપવા ભગવાન નમસ્કાર કરે છે. સ્વયં વિનય કરી, ભગવાન વિનય ગુણનું ગૌરવ વધારે છે.
કેવળી ભગવાન વિનય કરે” તે સંબંધી એક મત એવો પણ છે કે જ્યાં સુધી પ્રમત્તભાવ છે - છઠ્ઠ ગુણસ્થાનક છે, ત્યાં સુધી વંદ્ય-વંદક ભાવનો વિકલ્પ હોય છે. સાતમાથી ઉપરના ગુણસ્થાનકે વંદ્ય-વંદક ભાવ હોતો નથી, તેથી કેવળજ્ઞાનની ભૂમિકામાં પૂજ્ય-પૂજક ભાવના વ્યવહારની કલ્પના કરવી અયોગ્ય છે. આ મતાનુસાર પૂર્વ અવસ્થામાં પોતે કરેલો સદ્ગુરુનો વિનય કેવળજ્ઞાની ભગવાનના અનંત જ્ઞાનમાં જેમ છે તેમ જણાય છે અને તે તેમની વાણીમાં આવે છે. તેમણે અતીત કાળમાં જે વિનય કર્યો હતો તે વિનયને વર્તમાનમાં કહે છે અને એ જ તેમનો વિનય છે. આ સંબંધી શ્રી કાનજીસ્વામી કહે છે -
‘જ્ઞાનને પામેલો શિષ્ય સદ્ગુરુનો વિનય ન ચૂકે. તેનો આશય એમ છે કે નિર્વિકલ્પ દશામાં સ્થિત કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પૂર્વે છઘWદશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહિ અને દિવ્યધ્વનિ છૂટે ત્યારે પૂર્વ અવસ્થાની વાત પણ આવે. કોઈ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ ભગવાન કેવળજ્ઞાનીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય-વિવેક કરતા હતા, એમ પણ વાણીયોગમાં આવે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો તે પણ વિનય છે. ..... અહીં ૧- આ કથન પણ શ્વેતાંબર આમ્નાયના ગ્રંથો અનુસાર છે. જુઓ :
(૧) આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીરચિત, કુવલયમાલા', કંડિકા ૧૭૮ (૨) કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકત, 'ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', પર્વ ૧, સર્ગ ૬ (૩) ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત, ‘લોકપ્રકાશ', સર્ગ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org