Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થવાનો પ્રયત્ન મતાર્થી જીવ કરતો નથી અને અમૂલ્ય કૌસ્તુભ સમ આ માનવભવ તે હારી બેસે છે.
જાતિ અને વેષ પરાશ્રિત છે. પરમાર્થમાર્ગમાં તે સાધક કે બાધક હોઈ શકે નહીં, છતાં મતાર્થી પોતાનાં મત, વેષાદિથી જ મુક્તિ માની-મનાવી આ પરમ રહસ્યને ભૂલી જાય છે કે મોક્ષનું કારણ એકમાત્ર આત્માશ્રિત ભાવ છે. “સાચું તે જ મારું એમ હવાને બદલે “મારું તે જ સાચું' એવા મિથ્યા આગ્રહનો આશ્રય કરી સત્ય માર્ગથી તે દૂર ફંગોળાઈ જાય છે. આ દુષમ કાળમાં આવી હતપુણ્યશાળી લોકોની જ પ્રધાનતા જોવા મળે છે.
- જિનાગમમાં ઉપદેશેલ બાહ્ય વ્રત-તપ કષાયની મંદતા અર્થે છે. કષાયનો ત્યાગ, ઇષ્ટ-અનિષ્ટ સંયોગમાં સમતા અને પરિણામની વિશુદ્ધતામાં સાચું વ્રત સમાયેલું છે. આ લક્ષ સધાઈ રહ્યું છે કે કેમ? એ માટે નિવૃત્તિ ઉપર કડક નજર રાખવાને બદલે દેહાશ્રિત તપ-ત્યાગનાં અભિમાનમાં કે લૌકિક પ્રસિદ્ધિ, સત્કાર, પૂજાદિની વાંછામાં જ મતાથી જીવ રાચે છે. જો મિથ્યાત્વ અને અહંકાર ન જાય તો રાજપાટ છોડે કે ઝાડના ટૂંઠાની માફક સુકાઈ જાય, પણ મોક્ષ થાય નહીં. એક મિથ્યાત્વ જાય તો સર્વ સાધન સફળ થાય.
અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ નહીં પણ એકમાત્ર આત્માર્થે સર્વ ક્રિયા કરવામાં આવે અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવનું ચિત્ત હોય, તો જ તે ક્રિયાથી આત્મકલ્યાણનો સંભવ રહ્યો છે, અન્યથા નહીં. માટે જીવે પોતાનું અહિત કરનારાં એવાં સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ અને લોકચેષ્ટાને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. સ્વપરભેદવિજ્ઞાન પ્રગટ્યું નથી, નિજસામર્થ્યને સ્વીકાર્યું નથી; એટલું જ નહીં પણ એ સર્વને ગૌણ ગણી, ક્રિયાજડ જીવ માત્ર બાહ્ય ક્રિયાથી જ મોક્ષ મળશે એમ દેઢાગ્રહપણે માને છે. જેમ નિશ્ચયષ્ટિ વિનાની આવી શુભ ક્રિયાઓનું મોક્ષાર્થે કોઈ મૂલ્ય નથી, તેમ નિશ્ચયનયની કોરી વાતો હોય અને સદ્વ્યવહારનાં ઠેકાણાં ન હોય એવું શુષ્કજ્ઞાનીપણું પણ મોક્ષાર્થે નિષ્ફળ જાય છે. તેથી શ્રીમદે ક્રિયાજડ મતાથનાં લક્ષણો દર્શાવ્યા પછી બીજા પ્રકારના મતાર્થીનું - શુષ્કજ્ઞાનીનું વર્ણન કર્યું છે, જેથી તેવા જીવોને સદ્વ્યવહારની સત્યાર્થતા સમજાય.
એક તરફ શુદ્ધાત્માની વાતો કહે, અધ્યાત્મની સૂક્ષ્મ ચર્ચાઓ કરે અને અન્યને ઉપદેશાદિ પણ આપે; અને બીજી તરફ સ્વદશાની સુધારણા પ્રત્યે પોતે દુર્લક્ષ સેવતો હોવાથી કષાયનું સામ્રાજ્ય જેના અંતરમાં પ્રવર્તે છે એવો શુષ્કજ્ઞાની મતાર્થી જીવ ભૂલી જાય છે કે કલ્યાણ સહજાત્મસ્વરૂપની અનુભૂતિમાં છે. અંતરંગ સ્વાનુભવ વિના સ્વચ્છેદે નિશ્ચયલક્ષી વાક્યો બોલી જવાથી આત્મહિત સધાય નહીં. આત્મસ્વરૂપની માત્ર વાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org