Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 710
________________ ગાથા-૩૭ ૬૬૩ કે વૃત્તિને અહોરાત્ર સદ્ગુરુની આજ્ઞામાં જોડવી એ જ મારા કલ્યાણનો ઉપાય છે, આજ્ઞાપાલન એ જ મારું કર્તવ્ય છે. આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ અને મહિમા લવી તે પોતાના સમગ્ર જીવનને સદ્ગુરુની આજ્ઞાનુસાર ઢાળી દે છે. તેના જીવનની પળે પળને સદ્ગુરુના આશ્રયથી ભરી દે છે. આમ, આત્માર્થી જીવના અંતરમાં માત્ર સગુરુની આજ્ઞાનો જ મહિમા વસે છે. આજ્ઞા-આરાધન સિવાય તેના હૃદયમાં બીજો કોઈ લક્ષ હોતો નથી. આજ્ઞામાં જ એકતાન થવાની તેની વૃત્તિ થઈ હોવાથી તેને બસ એક જ કામ અને એક જ ધ્યેય હોય છે - આજ્ઞાપાલન કરીને આત્માને સાધું, પૂર્ણ દશાને પ્રગટાવું. તેને એકમાત્ર આત્માનું જ પ્રયોજન હોય છે, અન્ય કોઈ વસ્તુનું પ્રયોજન રહેતું નથી. પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય તેને કશાની અપેક્ષા હોતી નથી. “આત્માનો આનંદ અનુભવવો જ છે' એવી ખરેખરી તમન્નાથી તે આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના અને ધગશપૂર્વક તે નિરંતર પુરુષાર્થરત રહે છે. આત્માર્થના આ કાર્યમાં આત્માર્થીને માનાદિ અભિલાષારૂપ કોઈ મનરોગ હોતો નથી. મનરોગ આત્મહિતને પ્રતિબંધક છે. માનાદિની ઝંખનાના ખાડાઓ કદી પુરાતા નથી. આ ઝંખનાના કારણે જીવ બાહ્યમાં ફેરફાર કરવા ફાંફાં મારે છે અને હંમેશાં અસંતુષ્ટ, વ્યાકુળ, વ્યગ્ર રહે છે. માનાદિની તુચ્છ ઇચ્છાઓના કારણે તેની સર્વ ધાર્મિક પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, તેથી આત્માર્થની સિદ્ધિ માટે મનરોગનો નિરોધ આવશ્યક છે. જો જાગૃતિપૂર્વક મનરોગનો નાશ કરવામાં ન આવે તો આત્મભાવમાં મોટું નુકસાન થાય છે. તેથી મનરોગને નુકસાનકર્તા જાણી તેનો નિષેધ કરવો ઘટે છે. આત્મવીર્ય ફોરવી તેનો બળપૂર્વક નાશ કરવો ઘટે છે. મનરોગ ક્ષય થતાં જીવને આત્માર્થના કાર્યમાં અવરોધ નથી નડતો. આત્માર્થીમાં આત્માર્થને અવરોધક આવા મનરોગનો અભાવ હોય છે. પોતાનું મહાન આત્મપ્રયોજન સાધવાની સંનિષ્ઠ તૈયારી હોવાથી તે એવી તુચ્છ બાબતોમાં પોતાને રોકી રાખતો નથી. જગતમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા, સંયોગ અને વિયોગ, માન અને અપમાન, પ્રશંસા અને નિંદા આદિના પરિવર્તનશીલ પ્રસંગો તો બન્યા જ કરે છે; પણ આત્માર્થી એવા નાના નાના પ્રસંગોમાં અટકતો નથી, બલ્ક તેવા પ્રસંગોમાં તે અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. તે પોતાની શક્તિને તેમાં જરા પણ વેડફતો નથી. તે પ્રસંગોને પોતાના આત્માર્થ સાથે કોઈ જ સંબંધ નથી એવા દૃઢ નિશ્ચયપૂર્વક જે રીતે આત્માની સિદ્ધિ થાય તે રીતે જ તે પ્રવર્તે છે. આત્માર્થી જીવ વૃત્તિને સ્વસમ્મુખ કરવાનો પુરુષાર્થ કરે છે, સંયોગોને ટકાવવાનો કે બદલવાનો પુરુષાર્થ નથી કરતો. તે આત્માનો અર્થ હોય છે, સંયોગોનો નહીં. તે પોતાને સંયોગોથી ભિન, મુક્ત માને છે. તે સંયોગોનું લક્ષ છોડી તત્ત્વનું ઘોલન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790