Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૩
૬૦૧
કરવાથી યશાદિ મળી શકે, પરંતુ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય. શાસ્ત્રની સમજણને ઉદયપ્રસંગે જાગૃત રાખવામાં આવે તો જીવ ઉદયપ્રસંગે ભિન્ન રહી શકે છે, અન્યથા તે ઉદયમાં તણાઈ જાય છે. સત્શાસ્ત્રનું પ્રયોજન તથા રહસ્ય જાણીને એનો અભ્યાસ કરવામાં આવે તો જ એ અભ્યાસ કલ્યાણકારી થાય છે, નહીં તો જીવ શુષ્કજ્ઞાની બની જાય છે.
ત્યાગ, વૈરાગ્ય, વિવેક, મધ્યસ્થતા આદિને પુણ્યબંધનાં કારણ સમજી તે મતાથ જીવ સદ્વ્યવહારનો નિષેધ કરે છે; પરંતુ અશુભ ભાવોનું સેવન હજી અટક્યું નહીં હોવાથી કેવળ પાપકર્મના વિપુલ બંધ દ્વારા સંસારસમુદ્રને તે અભાગિયો જીવ ઓળંગી ન શકાય એવો અસીમ બનાવી દે છે. હજી તેને નથી સ્વાનુભવ થયો કે નથી નિજ ગુણની પ્રતીતિ થઈ. વળી, તેની પ્રાપ્તિ અર્થેનાં નિમિત્તકારણોનો આશ્રય લઈને તેણે સપુરુષાર્થ પણ ઉપાડ્યો નથી. આમ, જ્ઞાનદશા અને સાધનદશા બન્નેથી ભ્રષ્ટ થયેલ જીવ અન્યને કઈ રીતે ઉપકારી થઈ શકે? ભવજંગલમાં જે પોતે જ રાહ ભૂલ્યો છે, તે બીજા ભૂલેલા પથિકને માર્ગ કઈ રીતે દર્શાવી શકે? અને કોઈ તેના ચીંધેલા માર્ગે ચાલે તો એનું ભવભ્રમણ પણ નિશ્ચિત જ છે એ સરળતાથી સમજી શકાય એવું નિર્વિવાદ તથ્ય છે.
તે મતાર્થી જીવને કોઈ પોતાને જ્ઞાની માને એ ગમે છે. શુદ્ધાત્મસ્વરૂપની સત્ય વાતો બુદ્ધિ અને વાણીમાં રહી હોવા છતાં આત્મલક્ષ ચૂકી જવાથી માનાદિની જાણતાંઅજાણતાં તૃષ્ણા જાગે છે, અજાગૃતિથી એ પોષાય છે; પરિણામે તે પરમાર્થને તો સાધી શકતો નથી, બલ્ક દીર્ઘ કાળ પર્યત ટકનારી અપાત્રતાનું જ ઉપાર્જન કરે છે.
આમ, બાહ્યમાં ધર્મપ્રવૃત્તિ કરતો હોવા છતાં મતાર્થી જીવના કષાય પાતળા પડતા નથી; સંસાર, શરીર અને ભોગ પ્રત્યેની આસક્તિ ઘટતી નથી; સ્વદોષદર્શન કરવારૂપ તથા અન્યના ગુણ પ્રત્યેના પ્રમોદ દ્વારા સ્વગુણને પ્રગટાવવા અથવા વર્ધમાન કરવારૂપ સરળતા પ્રગટી નથી તથા સત્ય-અસત્યની પરખ કરવા જેટલી નિષ્પક્ષ, નિરાગ્રહ દષ્ટિરૂપ મધ્યસ્થતા વિકસી નથી. આ સર્વની સાથે સાથે અન્ય પણ અનેક દુર્ગુણો તેનામાં આવી વસે છે. આવા અંધ જીવના હાથમાં “જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગપુરુષનો મૂળમાર્ગ' આવવા છતાં એ માર્ગનો લાભ તે ઉઠાવી શકતો નથી.
શ્રીમદે નિષ્કારણ કરુણાબુદ્ધિથી માર્ગભષ્ટ થયેલા જીવોને માર્ગસન્મુખ કરવા, તેમનો એકાંત આગ્રહ ટાળવાના તથા તેમની ભાંત માન્યતાઓ દૂર કરવાના પવિત્ર આશયથી મતાર્થીનાં લક્ષણો ઉપર વેધક પ્રકાશ પાડી યથાર્થ માર્ગદર્શન કરાવ્યું છે. તેમાં કોઈ જીવને ઉતારી પાડવાનો કે નિંદા કરવાનો હેતુ નથી. શ્રીમદ્ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org