Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૧
૫૭૩ દલીલો, મરડી-મચડીને કરાતા શાસ્ત્રોના અર્થો અને પોતાના અભિપ્રાયને સાચો ઠરાવવા માટે લેવાતા કુતર્કના આશ્રયના કારણે સત્યશોધન એક બાજુ ઉપર રહી જાય છે. અહીં તર્કશાસ્ત્ર ઉપર આક્ષેપ કરવાનું લક્ષ નથી, પરંતુ જ્ઞાની કહેવડાવવાની મીઠાશના કારણે મતાર્થી જે રીતે તેનો ઉપયોગ કરે છે, તે રીતે તે તત્ત્વને પામી શકતો નથી. ઊલટું તેના દ્વારા દુરાગ્રહનાબૂદી અને સલ્શોધનવૃત્તિના સ્થાને વાડાભેદ, ખેંચતાણ વગેરે દ્વારા પોતાના અભિપ્રાયને સાચો ઠરાવવાની અહંવૃત્તિને પોષણ જ મળે છે. આમ, મતાર્થીના આચરણાદિમાં સત્યશોધનના સ્થાને ઠેકાણે ઠેકાણે વિદ્વત્તાનું પ્રદર્શન અને મતાહ હોય છે. આ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે –
કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ મતકંદ રે;
ધર્મની દેશના પાલટે, સત્ય ભાસે નહીં મંદ રે.૧ કેટલાક શાસ્ત્રાભ્યાસી શુષ્કજ્ઞાની જીવો પોતાના દોષને છુપાવવા માટે, પોતાના મતરૂપી કંદને રોપવા માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે, લોકો પોતાને માને-પૂજે તે માટે ભોળા જીવોને પોતાના પક્ષમાં ભેળવવાના હેતુપૂર્વક ધર્મની મૂળ દેશનાને પોતાના શબ્દજ્ઞાનથી મચડી નાખે છે. આમ, મોક્ષમાર્ગના હેતુભૂત સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ પરમાર્થમાર્ગનો ઉચ્છેદ કરી, લોકરંજન માર્ગ તેઓ સ્થાપતા હોય છે.
શુષ્કજ્ઞાની મતાર્થીને જ્ઞાની કહેવડાવવાની ઇચ્છા તેમજ માન, પૂજા, પ્રતિષ્ઠા, સત્કાર આદિની કામના એટલી પ્રબળ હોય છે કે તે પોતાની એકાંત મૂઢ માન્યતાને સત્ય સિદ્ધ કરવા અર્થે શાસ્ત્રોનું અવલંબન લઈ, અમુક શાસ્ત્રવચનોનું ખંડન કરે છે અને અમુક શાસ્ત્રવચનોનું વિપરીત અર્થઘટન કરે છે. તે શાસ્ત્રોમાંથી અવનવા પ્રમાણો શોધી કાઢી પોતાના મતનું સમર્થન કરે છે. જિનમાર્ગથી વિપરીત કરેલી પોતાની પ્રરૂપણામાં કોઈ ભૂલ બતાવે તોપણ પરમાર્થલક્ષનો અભાવ હોવાથી તેને તે સ્વીકારતો નથી. તેને પરમાર્થપ્રાપ્તિનો પંથ બતાવવામાં આવે તો પણ તે માનને વશ થઈને તે પ્રત્યે દુર્લક્ષ સેવે છે અને પરિણામે માનની ગાઢ અસર હેઠળ તે પરમાર્થ પામી શકતો નથી.
લોકોમાં પોતાનાં માન-મોટાઈ સુરક્ષિત રાખવા અર્થે તે સશિક્ષાની ઉપેક્ષા કરી પોતાના મતનો જ આગ્રહ દઢ કરે છે. જ્યાં સંપ્રદાય કે ગચ્છનો કદાહ જાગે છે ત્યાં અનેકાંતવાદિતા ભુલાઈ જાય છે. પોતાના અભિપ્રાયનો આગ્રહ એવો દઢ થઈ ગયો હોય છે કે તેને પોતાની માન્યતાવાળી વાત જ સાચી લાગે છે અને તે સિવાય અન્યથા કે અન્યત્ર સત્ય હોઈ શકે એવો ખ્યાલ પણ તેને આવી શકતો નથી. આમ, વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતાના અભાવે તેનો મતાગ્રહ એવો દૃઢ થઈ જાય છે કે તે એકાંતવાદી બને છે. તેના દૂષિત જ્ઞાનના યોગે એવો દુરાગ્રહ બંધાઈ જાય છે કે આ પોતાનો ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, “સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org