Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રામથી થોડી વધારે છે. તેથી અહીં જે કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમની પ્રગટ કરવામાં આવેલ છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ અહેવામાં આવેલ છે એમ સમજી લેવું સૂ. ૧૩
ચૌથે સમવાય મેં કષાયાદિ કા નિરૂપણ
ટીવાર્થ સેવા” ત્યાત્રિા ટીકાથ–જે દેવે આશંકર, ૧ પ્રભંકર, ૨ આભ કર–પ્રશંકર, ૩ ચન્દ્ર, ૪ ચન્દ્રાવર્ત ૫, ચન્દ્રપ્રભ, ૬ ચન્દ્રકાન્ત, ૭ ચન્દ્રવર્ણ, ૮ ચન્દ્રલેશ્ય, ૯ ચન્દ્રધ્વજ, ૧૦ ચન્દ્રશગ, ૧૧ ચન્દ્રચુર્ણ, ચન્દ્રકૂટ, ૧૩ અને ચન્દ્રોત્તરાવતંસક૧૪એ વિમાનમાં દેવની પર્યાયથી પેદા થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે. તે દેવે દેઢ માસને અને અંદર તથા બહાર શ્વાચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવોને ત્રણ હજાર વર્ષ બાદ આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમનામાંથી કેટલાક દેવો એવા હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે, તેઓ ત્રણ ભવ કરીને સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરશે, આત્માનાઅનંત જ્ઞાનાદિક ગુણોને ઉપભોગ કરશે, સમસ્ત કમેનો આત્યંતિક રીતે ક્ષય કરશે, કૃતકૃત્ય થઈને સમસ્ત પ્રકારનાં દુઃખને અંત કરનાર થશે સૂ. ૧૪
હવે સૂત્રકાર ચોથા સમવાયાંગનું પ્રતિપાદન કરે છે–“વત્તારી કુલ્લાદિા ટીકાઈ–કષાય ચાર છે-(૧) કોધ કષાય, (૨) માન કષાય, [૩) માયા કષાય અને લોભ કષાય. ધ્યાન ચાર કહેલ છે-(૧) આર્તધ્યાન, રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલ ધ્યાન. ચાર વિકથાઓ કહેલ છે–સીકથા, ભકતકથા, રાજકથા અને દેશકથા. ચાર સંજ્ઞાઓ આ પ્રમાણે છે- (૧) આહાર સંજ્ઞા, ૨) ભયસંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા. (૪) પરિગ્રહ સંજ્ઞા. ચાર પ્રકારના બંધ બતાવેલ છે-(૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાવબંધ અને (૪) પ્રદેશબંધ. ચાર કેશને એક યોજના
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૩