Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વવાનું હોય તે નગર કેવા આકારનું બનાવવું તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે વસ્તુમાન અને વાસ્તવિશેષ વચ્ચેનો પણ તફાવત સમજ. દેવાદિકની મદદથી નાગપાશ આદિ દિવ્ય અસ્ત્રોનું પરિણાન આપનાર કલાનું નામ “ઈષશાસ્ત્રકલા છે. તલવાર આદિ ચલાવવાનું જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય થાય છે તે કલાનું નામ “સસકલા” “ત્સર’ શબ્દ તલવારની મૂઠનો વાચક છે. પણ અહીં તેનો જે “તલવાર અથ લેવાય છે તે અવયવમાં અવયવીના ઉપચારથી લેવાયેલ છે. અશ્વશિક્ષાનું જ્ઞાન આપનાર કલાને “અશ્વશિક્ષાકલા' કહે છે. હસ્તિ (હાથી) શિક્ષાનું જ્ઞાન આપનાર કલાને હસ્તિશિક્ષા કલા કહે છે, ધનુષ ચલાવવાની કલાને “ધનુર્વેદશિક્ષાકલા” કહે છે. હિરણ્યની ભસ્મ બનાવવાની કલાનું જ્ઞાન જે કલા આપે છે તે કલાને “હિર
યપાક કલા' કહે છે. સુવર્ણની ભસ્મ બનાવવાનું જ્ઞાન આપનાર કલાને “સુવણપાકલા' કહે છે. મણિની ભસ્મ બનાવવાની વિધિ બતાવનાર કલાને “મણિપાલા” અને ધાતુઓની ભસ્મ બનાવવાની વિધિ બતાવનાર કલાને “ધાતુપાકકલા કહે છે બાહુઓ દ્વારા યુદ્ધ કરવાનું પરિજ્ઞાન થાય તે ‘બાહુયુદ્ધકલા દંડ દ્વારા યુદ્ધ કરવાનું પરિસાન થાય તે “દંડયુદ્ધ કલા, મુષ્ટિદ્વારા યુદ્ધ કરવાની કલા તે “મુષ્ટિયુદ્ધકલા,” અને અસ્થિદ્વારા યુદ્ધ કરવાનું પરિજ્ઞાન થાય તે કલાને અસ્થિયુદ્ધકલા કહે છે. સામાન્ય રીતે યુદ્ધ કરવાનું જ્ઞાન આપનાર કલાને યુદ્ધકલા અને વિશિષ્ટ પ્રકારે યુદ્ધ કરવાનું જ્ઞાન થાય તે કલાને નિયુદ્ધકલા” કહે છે. યુદ્ધાતિયુદ્ધ કરવાનું પરિજ્ઞાન આપનાર યુદ્ધાતિયુદ્ધ કલા છે સૂવાદી દ્વારા કેવી રીતે કીડા કરાય છે, તે દર્શાવનાર કલાને “સૂત્રાદિ ખેલકલા” કહે છે. નાલિકા દ્વારા કેવી રીતે કડા કરી શકાય તે દર્શાવનાર “નાલિકા ખેલ કલા છે. વર્તા (ચક) દ્વારા કેવી રીતે કીડા કરાય છે તેનું જ્ઞાન “વ ખેલકલા' દ્વારા મળે છે. ચર્મ દ્વારા કેવી રીતે ક્રીડા કરાય છે તેનું જ્ઞાન “ચમ ખેલકલા” દ્વારા મળે છે. સો પાનને ઉપર ઉપરી ગઠવીને તેમાંથી કોઈ પણ વિવક્ષિત પત્રને છેદવાની હસ્ત નિપુણતા જે કલા દ્વારા પ્રાપ્ત થાય છે તે કલાને “પત્રછેદ્યકલા કહે છે. જે કલામાં કટ-ચટાઇની જેમ કમે કમે છેદ્યવસ્તુનું પરિજ્ઞાન થાય છે તે કલાને “
કચ્છકલા' કહે છે. સજીવને નિજીવ જેવા કરી નાખ–
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૭