Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 445
________________ એ જ પ્રમાણે જે વૈમાનિક દેવો છે તેઓ પણ જાતિનામ નિધત્ત યુ આદિ બ ને આઠ આકર્ષોથી કરે છે. સૂ. ૧૯રા ટીકાથ–બાવિ મતે ! માનવંધે go ફાતિ-હે ભદંત ! આયુબંધના કેટલા પ્રકાર કહ્યા છે? હે ગૌતમ ! આયુબંધના નીચે પ્રમાણે છે પ્રકાર છે-(૧) જાતિનામ નિધત્તાયુ-જાતિનામકર્મની સાથે અનુભવને માટે બહ, અ૫, અ૯પતરના ક્રમે વ્યવસ્થાપિત જે આયુ છે તેને ‘જાતિનામવિદત્તાયુ” કહે છે. શંકા-જાતિ આદિ નામકર્મોને આયુ સાથે શા માટે સંબંધિક કરવામાં આવ્યા છે ? ઉત્તર-આયુની પ્રધાનતા દર્શાવવા માટે કારણ કે નારક આદિ આયુને ઉદય થતાં જ જાતિ આદિ નામકર્મોને ઉદય થાય છે. નારક આદિ ભાવોના ઉપગ્રાહક–જીવને નારક આદિ ભવોમાં રોકી રાખનાર એક આયુકર્મ જ છે. વ્યાખ્યા પ્રકૃતિમાં પણ કહ્યું છે-“રફgi મતે ! નેરાણ કરવાઝરૂ, ગનેરા नेरईसु उववजइ ? गोयमा ! नेरइए नेरइएसु उववज्जइ, नो अनेरइए નેરણvg કરવજ્ઞ હે ભદં ત! નારક-જે જીવને નરક આયુબ ધ થઈ ચૂક્યો છે એવાં જીવ નારકોમાં ઉત્પન્ન થાય છે કે અનારક નારકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર–હે ગૌતમ! નારકે જ નારકમાં ઉત્પન્ન થાય છે, અનારક નહીં. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-નરકાયુના પ્રથમસમય સંવેદનકાળમાં જ જીવ નારક કહે વાવા માંડે છે. તે સમયે તે નરકાયુના સાથીદારો પંચેન્દ્રિય જાતિ આદિ નામક મેંને પણ ઉદય થઈ જાય છે. (૨) ાતનામ નિધત્તાયુ-ગતિ આદિરૂપ નામકર્મની સાથે નિધત્તઆયુને ગતિનામ નિત્તાયુ કહે છે. (૩) સ્થિતિમાન નિત્તા-- જે રીતે રહેવું જોઈએ તે સ્વરૂપનું આયુકર્મના દલિકેનું જે નામ-પરિણામ છે તેને સ્થિતિનામ કહે છે. તે સ્થિતિ નામની સાથે જે નિધત્ત આયુ છે તેને સ્થિતિના નિધત્તાયુ કહે છે. અથવા પ્રકૃતિ આદિ ચાર પ્રકારના બંધમાં જે સ્થિતિબંધરૂપ ભેદ છે તેની સાથે નિધત્તઓયુને સ્થિતિનામ નિવત્તાયુ કહે છે. શ્રી સમવાયાંગ સૂત્ર ૪૩૮

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514