Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળા જંબુદ્વીપમાંથી ત્રણ સાઠ (૩૬૦) યજન વધે છે. તે સમસ્ત આભ્યન્તર સૂર્યમંડલના વિસ્તાર છે. તેના પરિધ ૩૫૦૮૯ યોજનાનો છે. આટલા પરિક્ષેત્રને સૂર્ય ૬૦ સાઈઠ મુહૂર્તમાં ઓળંગે છે. તેથી તેને ૬૦ સાઈઠ વડે ભાગતાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ પાંચ હજાર બસ એકાવન (પરપ૧) યોજન અને એક જનના ૬૦ સાઈઠ ભાગે માં ૨૯ ઓગણત્રીસ ભાગ જેટલી-એટલે કે પર૫૧ ૨૯/૬૦ જન થાય છે. તથા જે સમયે સૂર્ય આભ્યન્તર મંડલમાં પરિભ્રમણ કરે છે તે સમયે ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે. તેનાથી ખર્ધા ૯ નવ મુહૂર્ત બાકી રહે છે. એક મુહૂર્તની ગતિ સાથે તે નવ મુહૂત્તો ગુણાકાર કરતાં ૪૭૨ ૬૩ ૨૧/૬ જન આવે છે, એટલે દૂરથી પણ સૂર્ય અહીંના માણસોની નજરે પડે છે.
સ્થવિર અગ્નિભૂતિ ૪૭ સુડતાલીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે મુંડિત થઈને સાધુ અવસ્થા ધારણ કરી હતી સૂ. ૮૬
અડતાલીસ વે સમવાય મેં ચકવર્તી કે નગરાદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર અડતાલીસ (૪) સંખ્યાવાળા સમવાયનું કથન કરે છે— મેરા નો રૂત્યાર! ટીકાથ–પ્રત્યેક ચક્રવતિના અડતાલીસ (૪૮)હજાર પત્તન હોય છે. જ્યાં અનેક દેશની ચીજો વેચાવા માટે એકત્ર થાય છે. તે સ્થાનને પત્તન કહે છે. અહત ભગવાન ધર્મનાથને સમૂહ-ગણસમૂહ અડતાલીસ(૪૮) હતો અને ગણધરે પણ ૪૮ અડતાલીસ હતા. સૂર્યમંડલ વિષ્કભની અપેક્ષાએ ૪૮ ૪૮/૬૧ જન પ્રમાણ છે. સૂ. ૮૭
હવે સૂત્રકાર એગપચાસ (૪૯) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે – 'सत्त सत्त भियाए णं' इत्यादि !
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૪