________________
૨
બાહ્ય સ`પત્તિ પરાધીન છે. તે ઈચ્છા કરવા માત્રથી બધા મેળવી શકતા નથી. ચિત્તપ્રસન્નતા રૂપ અંતર’ગસ...પત્તિ સ્વાધીન છે. તેને અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. રાજા હાય કે રંક હોય પણ પ્રત્યેક આત્મામાં તે એકસરખી રીતે ઉત્પન્ન થઈ શકે છે. આ ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પ્રત્યેક મનુષ્યના જન્મસિદ્ધ હક્ક છે. ભગવાને પણ ઉપદેશમાં એમ જ કહ્યું છે કે— જે પેાતાનું છે, જે સ્વાધીન છે, જે નિરુપાધિક છે, જે અનત છે અને જે અનુપમ છે તેને પ્રાપ્ત કરી. પછી બીજી' કાંઈ પ્રાપ્ત કરવાનુ રહેશે નહિ.
સકલ કલ્યાણપર પરાના હેતુ ચિત્તપ્રસન્નતા છે.
જેમને આ જન્મમાં જ પરમાત્માની સાથે એકાકાર થઈ આત્માના નિરુપાધિક આનંદને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમણે પ્રભુના “ અપાયાપગમ ' આદિ ચાર અતિશયાની ખરાખર સમજણુ ગુરુગમથી કરી લેવી જોઈએ. તે સમજણુ થયા પછી આપણને ખ્યાલ આવે છે કે “પ્રભુનું આલખન લેવા માત્રથી અનાદિ સ‘સારથી ઉત્પન્ન થયેલું. આપણું તમામ દુઃખ એકદમ કેવી રીતે નાશ પામી જાય અર્થાત પ્રભુ અનાયાસે કેવી રીતે આપણને અનત પ્રકારની યાતનાઓમાંથી ઉગારી લેવાની અચિત્ય શક્તિ ધરાવે છે,
7.
* तन्नामग्रहणमात्रा - दनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मानामशेषं परिक्षयं
याति
सहसैव ॥
યોગશાસ્ત્ર ૧૧-૨૬