________________
ચિત્તની પ્રસન્નતા બે કાર્ય એક સાથે કરે છે. એક તે આત–રૌદ્રાદિ અશુભધ્યાનને તે રેકે છે અને બીજું ઉત્તમ ધ્યાનમાં આત્માને જોડે છે. તેથી ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિમાં તે પ્રબળ હેતુ બને છે. જેમ યુદ્ધમાં ઉતરેલે શૂરવીર થોદ્ધો આગળ અને પાછળ બંને બાજુ લડે છે. દુમિનેને હટાવી આગળ-આગળને ન ન પ્રદેશ છતી પિતાના માલિકને વિજય પ્રાપ્ત કરાવે છે, તેમ ચિત્તની પ્રસન્નતા નામને ગુણ એક સાથે અને કાર્ય કરે છે. ચિત્તની પ્રસત્રતા એ આત્માની દિવ્ય સંપત્તિ છે. આપણી પાસે બીજું કાંઈપણ ન હોય અથૉત્ આ દુન્યવી એક પણ પદાર્થ ન હોય પરંતુ માત્ર એક ચિત્તની પ્રસન્નતા જ હોય તો પણ તે એક જ વસ્તુની કિંમત ત્રણ ભુવનના સમગ્ર બાહ્ય ઐશ્વર્ય કરતાં પણ ઘણી અધિક છે. ચિત્તની પ્રસન્નતા અસંખ્ય અશુભ સંકલ્પ-વિકલ્પોને શમાવી દે છે અને તે સાત્વિક, શુભ અને પવિત્ર ભાવનાનું બળ વધારે છે. પ્રસન્ન ચિત્ત દરેક વસ્તુમાંથી, દરેક સ્થાનમાંથી, દરેક અવસ્થામાંથી સારભૂત વસ્તુને ગ્રહણ કરી અસારને છોડી શકે છે. સંસારમાં સુખનું કેઈ એક જ કારણ ક૫વું હોય, તે તે ચિત્તની પ્રસન્નતા છે. અથવા સંસારમાં દુઃખતું કેઈ એક જ કારણ કલ્પવું હોય તે તે ચિત્તની સંકલિષ્ટતા છે. બીજા બધા કોની પરંપરા તે ચિત્તની ફલિષ્ટતામાંથી પાછલથી ઉત્પન્ન થાય છે. જેનું ચિત્ત પ્રસન્ન છે, તેને અહીં જ દિવ્ય સુખ છે. જેનું ચિત્ત અતિ કુલિષ્ટ છે તે અહીં જ નરક જેવી પીડા ભોગવી રહેલ છે, એમ કહી શકાય.