________________
દયા, દાન, મંત્રી, પ્રમોદ, પ્રેમ, પરોપકાર, પ્રભુદર્શનપૂજનાદિ ક્રિયાઓને અભ્યાસ સતત અને નિયમિત રીતે ચાલુ રાખવું જરૂરી છે.
તે ઉપરાંત ગુરૂઉપદેશશ્રવણ-મનન તપ-જપ-વ્રતનિયમ-સ્વાધ્યાય- સંતોષ–સામાયિક-પ્રતિક્રમણ, આસન અને ધારણાદિના અભ્યાસમાં પણ યથાશકિત પિતાનું વીર્ય ફેરવવા સંદા સજજ રહેવું જરૂરી છે. અને ખાસ કરીને તમામ પ્રવૃત્તિમાં ઔચિત્યનું પાલન, ગુણવંતનું પાતંત્ર્ય અને પ્રજ્ઞાપનીયપણું આ ત્રણ ગુણેને આત્મસાત્ કરવા સવિશેષ ઉદ્યમશીલ રહેવું જોઈએ.
ઔચિત્યપાલન એ થાનમાર્ગની સૌથી પ્રથમ શરત છે. ઔચિત્યના પાલન વિના ધ્યાનમાર્ગમાં પ્રગતિની વાત તે દૂર રહી પણ પ્રવેશ પણ થઈ શકતું નથી. ઉચિત આવશ્યક કોઈપણ કાર્ય ન સીદાય અને ઉપકારી તથા વડીલ વર્ગને શકય સંતોષ આપીને તેમના હાર્દિકે આશીર્વાદ પ્રાપ્ત કરીને અને પિતાથી નાનાઓને પ્રસન્ન રાખીને તથા બીજા પણ પરિચયમાં આવતા સૌની સાથે ઔચિત્યપૂર્વકને વ્યવહાર જાળવવાપૂર્વક ઉચિત સમયે જ્યારે ધ્યાનને પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે તેમાં સરળતાપૂર્વક પ્રવેશ થઈ શકે છે. કારણ કે ઔચિત્યપૂર્વક સક્રિયાઓના પાલન દ્વારા ધ્યાનમાં બાધક એવા . મળ, વિક્ષેપ આદિ દેશે પ્રતનું અર્થાત્ પાતળા પડે છે.