________________
અંતે પાતે જીવ મટી શિવ બની જાય છે. આ રીતે જે અરિહ'તને ઓળખે છે, તે આત્માને ઓળખે છે અને આત્માની ઓળખાણ થયા પછી માહ એટલે અજ્ઞાન નાશ પામે છે.
અજ્ઞાન એટલે પેાતાના સહુજ સ્વરૂપના અસ્વીકાર.
અજ્ઞાન એટલે પાતાના સહજ સ્વરૂપને અસ્વીકાર અથવા પેાતાના સહેજ સ્વરૂપતુ વિસ્મરણુ, આ રીતે આત્માના સ્વરૂપને ભૂલી જવાથી આત્માએ અનંત કાળથી અનંત દુઃખ અનુભવ્યુ છે અને તે દુઃખ આત્માના જ્ઞાનથી જ ટળી શકે છે. આત્માના જ્ઞાન સિવાય કરાડા કલ્પ સુધી ગમે તેવા આકરા ઉપાયાથી પણ તે દુ:ખ ટળતુ નથી. તે અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપી માહ અહિ તના ધ્યાનરૂપી પ્રકાશથી ટળે છે. અરિહંતના ધ્યાનથી પ્રથમ પેાતાના શુદ્ધ નિમલ સ્વરૂપના રુચિમાં અને જ્ઞાનમાં સ્વીકાર થાય છે અને પછી ધ્યાનમાં આગળ વધતાં વધતાં એક વખત અ'તે ધ્યાતા પાતે ક્ષાયિકભાવે ધ્યેયસ્વરૂપ બની જાય છે. એજ વસ્તુને ખ્યાલમાં રાખીને “ ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે *' એમ કહેવામાં આવ્યુ છે.
પરમાત્મપદપ્રાપ્તિની અમેધ પ્રક્રિયા.
જેમ સેકડા વખત પૂટ આપવાથી અભ્રકલમ મહાન રસાયણુ બની જાય છે, તેમ વારવાર આત્મામાં