________________
વરૂપ છે તેને નિશ્ચય કરે છે. આનું જ નામ આત્માની ઓળખાણ છે, અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયથી જ્ઞાન અને ધ્યાન છે.
જે અરિહંતને ઓળખે છે, તે
આત્માને ઓળખે છે. જન્મથી જ ઘેટાના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચું જેમ બ્રાંતિથી પિતાને પણ ઘેટા જેવું કલ્પી લે, તેમ જીવ પોતે અનંત શક્તિનો માલિક હોવા છતાં અનાદિ અજ્ઞાનતાના ચગે પિતાને તદ્દન નિર્માલ્ય માની, જમ મરણની અનેક પ્રકારની કર્મ જનિત હાડમારીઓ ભેગવી રહ્યો છે. જેમ તે સિંહના બચ્ચાને કેઈ વખતે બીજા સિંહનું દર્શન થવાથી, સિહની ગર્જના સાંભળવાથી, સિંહ તરફથી અન્ય કોઈ પ્રેરણા મળવાથી અને બારીકાઈથી જોતાં પિતામાં પણ બધાંજ લક્ષણે સિંહના છે પણ ઘેટાનાં નથી, એ નિર્ણય થવાથી તેને તેનું પોતાનું પરાક્રમ ખ્યાલમાં આવી જાય છે, તેની નબળાઈ દૂર થઈ જાય છે અને તે સિંહ વનનો રાજા બની જાય છે. તેમ શ્રી અરિહંત પરમાત્માના દ્રવ્ય-ગુણ૫ર્યાયના ધ્યાનથી જીવને પણ એવું ભાન થાય છે કે તત્વથી જોતાં મારું પણ આવું જ સ્વરૂપ છે. મારી જાત પણ આવી જ છે. મારામાં પણ બધાં આવાં જ લક્ષણે છે. હું અવિનાશી છું, અનંત જ્ઞાન અને અનંત શકિતથી હું ભરપુર છું. કર્મ કરતાં મારું બળ અનંતગણું અધિક છે. આ બધું ખ્યાલમાં આવતાં જ અને ત્યારપછી તે અંગે વિધિપૂર્વક પુરુષાર્થ કરતે જીવ કમને હટાવી