________________
વચનામૃત રહસ્ય બાપુ ! સાચી વાત તો આ છે. - ૬૪ બાળ બ્રહ્મચારી બેન - દીકરીયું છે એમાં બેન આ બોલેલાં અને નવ દીકરીયુએ લખી લીધેલું તે બહાર આવ્યું. નહિતર તો બહાર આવે જ નહિ. એને પોતાને બહાર પડવાનો ભાવ નહિ, કોઈ લખે છે એની પણ એને ખબર નહિ. લખે છે તો બહાર પાડે તો એની એને ખબર નહિ. પણ આ વાત અત્યારે બહાર આવી ગઈ.
(અહીં) કહે છે “જ્ઞાન વગરનો વેરાગ્ય તે ખરેખર વેરાગ્ય નથી... એ શું કહ્યું પ્રભુ ? જેને રાગના, દયા, દાનના વિકલ્પથી ભિન્ન આત્મા (છે) એવા આત્માનું જેને અનુભવ અને જ્ઞાન નથી તેનો વૈરાગ્ય તે રુંધાયેલો (કષાય છે, એટલે કષાયને દાવ્યો છે. કષાય ગયો નથી, ટળ્યો નથી (પણ) દાવ્યો છે. (એટલે) પાછો એનો ઊભરો આવશે. આહા...હા...! બહારથી વૈરાગ્ય દેખાય બાયડી - છોકરાં છોડી બેઠો હોય એટલે) વૈરાગી દેખાય પણ અંદરમાં આત્મજ્ઞાન નથી એ વૈરાગ્ય (નથી). એને યથાર્થ વૈરાગ્ય છે જ નહિ. જ્ઞાન વગરનો વૈરાગ્ય રુંધાયેલો છે . દબાયેલો કષાય છે. આહા..હા...!
પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. આહા...હા...! એ શું કહે છે ? અંદર આત્મા જ્ઞાનમૂર્તિ, ચિદાનંદ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ - એને જે જાણતો નથી તેથી તે જ્ઞાન વિના કષાયને ઓળખી શકતો નથી. કષાય કોને કહેવો ? દયા, દાન, વ્રતના પરિણામને પણ કષાય કહેવાય છે. એ વાત) એ જાણી શકતો નથી. આ...હા...હા...હા...! " અંતરના આત્માના જ્ઞાન વિના વૈરાગ્ય હોતો નથી. પરંતુ જ્ઞાન નહિ હોવાથી તે જીવ કષાયને ઓળખતો પણ નથી. એને કષાય થાય છે. મહાવ્રતના પરિણામ એ કષાય છે. આ..હા...હા...હા...! (આવું સાંભળીને રાડ નાખી જાય ને ! એ વિકલ્પ ઊઠે છે. વ્રત, અહિંસા, સત્ય એ વૃત્તિ : વિકલ્પ છે. ભગવાન (આત્મા) તો વિકલ્પથી રહિત છે. એવા નિર્વિકલ્પ ચૈતન્યના જ્ઞાન વિના જું કાંઈ વૈરાગ્ય દેખાય તે દાબેલો કષાય છે.
(હવે કહે છે, “જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે..... અને જ્ઞાન વિના (અર્થાતુ) અંતર સમ્યકજ્ઞાન વિના આ કષાય છે, રાગ છે - એમ ઓળખી શકે નહિ. જ્ઞાનનો સ્વાદ રાગના સ્વાદથી જુદો છે . એવું જેણે જાણ્યું નથી તે રાગના સ્વાદને ઓળખી શકતો નથી. આહા...હા...હા....! આવો ઉપદેશ હવે...! માર્ગ