________________
[વચનામૃત-૩૫]
પૂજ્ય ગુરુદેવશ્રી : એ સમજવાની યોગ્યતા હતી તેથી (સમજમાં) આવી છે. ત્રિલોકનાથની દિવ્યધ્વનિ કાને પડતાં જે જ્ઞાન થયા. એ વાણીને લઈને નહિ. પોતાની તે સમયે, તે પ્રકારના જ્ઞાનની પર્યાયનો કાળ છે, તે પર્યાય પોતાને થાય છે. વાણીને લઈને નહિ, દિવ્યધ્વનિ સાંભળે તેને લઈને નહિ.
૧૨૮
આા..હા...!
એ અહીં કહે છે કે, તને એ ટેવ પડી ગઈ છે. પરની ટેવ પડી ગઈ છે કે, મને પરને લઈને થાય છે..... મને પરને લઈને થાય છે. તારી દૃષ્ટિ પર ઉપર પડેલી છે. (તેને લઈને) તેને જ્ઞાનનો ખ્યાલ આવતો નથી. પડતી નથી.’ આ...હા..હા..! ઝીણી વાત છે, ભગવાન !
ખબર
9
----
..
xx
અમે તો ઘણું બધું જોયું છે. બાપુ ! અહીં તો ૪૦-૪૦ હજા૨ (માણસોની) સભામાં વ્યાખ્યાન દીધાં છે ! ચાલીસ-ચાલીસ હજાર !! ભોપાલમાં ગયાં હતાં ને ! ભોપાલમાં પંચ કલ્યાણક હતાં. સભામાં ચાલીસ હજાર માણસ ! પણ અમારી તો આ વાત છે. ગોઠે ન ગોઠે, સંસારી સ્વતંત્ર છે. બીજું તો અમારી પાસે છે નહિ. સત્ય તો આ છે. એને સમજ્યું જગતને છૂટકો છે, બાપુ ! તે વિના જન્મ-મરણનાં ધાણા પિલાઈ ગયાં છે, બાપા ! ઘાણમાં જેમ તલ પિલાય...! પ્રભુ ! તને ખબર પડી નથી. તું ચાર ગતિના દુઃખમાં પિલાઈ ગયો છો અને પિલાવાનાં પરિણામ તને સહજ થઈ ગયાં છે. અશુભ ભાવ સહજ થઈ ગયો છે. એમ શુભ ભાવ પણ કર્યો તો એનું ફળ સ્વર્ગ છે. પણ પ્રવચનસાર(માં) કહે છે કે, સ્વર્ગના સુખને જે સુખ માને અને ન્રકના દુઃખને દુ:ખ માને તે મૂઢ છે. કારણકે સ્વર્ગમાં જે સુખની કલ્પના છે તે અશુભ ભાવ છે. અશુભ ભાવ છે ! એ પાપ છે. આહા..હા..! આ પૈસામાં પણ સુખ માનવાની કલ્પના તે પાપ છે. એને એ માને છે. કે, મને ઠીક થાય છે. દેવલોકનાં સુખ તે પણ દુઃખ છે. આહા..હા...! શેઠાઈના સુખ તો દુ:ખ જ છે પણ દેવલોકના સુખને (પણ દુ:ખ કહ્યું છે). ભગવાન કુંદકુંદઆચાર્યએ પ્રવચનસારમાં કહ્યું છે કે જેના ફળ દુઃખ છે, (એટલે કે) શુભનું ફળ સ્વર્ગ પણ દુઃખ છે તો પુણ્યના ફળ ને પાપના ફળમાં તને ફેર કેમ લાગે છે ? સમજાણું કાંઈ આમાં ? શું કહ્યું એ ?
પુણ્યના ફળમાં શેઠાઈને સ્વર્ગ મળે એ તને ઠીક લાગે છે અને પાપના ફળમાં તને નરક ને તિર્યંચ મળવું એ અઠીક લાગે છે ... તને કેમ આવું