________________
વચનામૃત રહસ્ય
. ૧૬૧ બહારમાં એ અગ્નિ નહિ દેખાય પણ રાગ છે એ અગ્નિ છે. પુણ્ય અને પાપના રાગ એ અગ્નિ છે. અગ્નિની અંદર શાંતિ બળે છે. આ..હા..હા..હા..! એ છોડીને એક વાર પ્રભુ ! અંદર ધખતી ધૂણી ધખાવ. અંદર આનંદનો નાથ પડ્યો છે, આ..હા..હા...! એના ઉપર જા !'
(અહીંયા કહે છે) (યથાર્થ રૂચિ વિના, તેના) તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. અંતરની જેને લગની લાગી છે એ શુભ ભાવ અને અશુભ ભાવમાં એકાકાર થતો નથી. (જ્યારે). અજ્ઞાનીને (તેના તે). શુભ ભાવો ચંચળતાવાળા લાગે છે. ધર્મની જેને ખબર નથી એને રાગ આવે પણ એ ચપળતાનો રાગ છે, ચંચળતાનો રાગ છે. એ શાંતરસ (થી) તરબોળ નથી. આહા..હા..! આ શું વાત !
અંતરમાં જેણે શાંતરસને પકડ્યો છે, એને રાગ અને વૈરાગ્ય શાંતરસથી તરબોળ હોય છે. અજ્ઞાનીને શુભરાગ અને અશુભ રાગ સળગતી ધગતી અગ્નિની ધૂણી છે. આ..હા..હા...! બહારનાં હજી ભપકાં દેખાય ત્યાં) આવું સાંભળવું હજી કઠણ (પડે).
એક ફેરી મૈસૂર ગયા હતાં. ત્યાં સાડા ત્રણ કરોડનું એક મકાન હતું. સાડા ત્રણ કરોડનું....! સરકારે રાજાને ખાલી કરાવ્યું. સરકારે જ્યારે ઊઠાવી દીધાં, ખાલી (કરાવ્યું ત્યારે રાજા રોતો બહાર નીકળી ગયો ! સાડા ત્રણ કરોડનું એક મકાન ! આ તો ઘણાં વર્ષ પહેલાંની વાત છે, હોં ! અત્યારે તો અબજ (રૂપિયે) પણ મળે નહિ. એવું મકાન જોવા ગયાં હતાં. (મેં કહ્યું, જુઓ ! આ મસાણમાં જનારા આવી સાડા ત્રણ કરોડની મકાનની ભૂમિને છોડીને ચાલ્યાં ગયાં છે. આહા..! ક્યાંય પકડાણાં નથી કે ક્યાંય) એને પકડી રાખ્યા નથી. આહા..હા..!
એમ રાગમાં (જે) પકડાઈ ગયાં છે એ અગ્નિની જવાળામાં સળગી રહ્યાં છે ! અહીંયા કહે છે, રાગથી ભિન્ન આત્માનું જેને ધ્યેય પકડાયું છે, એ શાંતરસમાં તરબોળ છે ! આહા..હા..! છે ? ....અને યથાર્થ રુચિ વિના, તેના તે શુભ ભાવો... ભલે શુભ ભાવ હોય . દયા, દાન, ભક્તિનો પણ જો યથાર્થ દૃષ્ટિ અને રુચિ નથી તો તેનો તે ભાવ લૂખો અને ચંચળતાવાળો હોય છે. આહા..હા...! શું કહ્યું ? કે જેને આત્માની રુચિ અને દૃષ્ટિ થઈ છે એના શુભભાવ અને વૈરાગ્ય