________________
૧૬૮
[વચનામૃત-૪૪] સ્થાનકવાસી હૂંઢિયાને પણ કહ્યું - ‘શરીર રહિત થવું હોય, સિદ્ધ થવું હોય તો આ વસ્તુ છે !!બાકી ખોટું લાગે તો, માફ કરજો, ભાઈ ! બાકી વસ્તુ આ છે. જેને શરીર રહિત થઈને સિદ્ધ થવું હોય તો આ ‘સમયસાર માં ભરેલું તત્ત્વ છે, એને સમજો અને ઓળખો તો સમ્યગ્દર્શન થાય અને શરીર રહિત થયા વિના રહે નહિ. આ..હા..હા...! એ ૪૩ થયો.
|
૦
૦ ૦
* V “રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની
પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. તેને ચોવીસે કલાક એક જ ચિંતન, ઘોલન, ખટક ચાલુ રહે. જેમ કોઈને “બા” નો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેમ જેને આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં અંદરમાં ખટક તો આત્માની જ હોય. બા” ના પ્રેમવાળો ભલે કુટુંબ-કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો બા માં જ રહ્યું હોય છે :
અરે ! મારી બા...મારી બા !'; એવી જ રીતે આત્માની ખટક રહેવી જોઈએ. ગમે તે પ્રસંગમાં મારો આત્મા... મારો આત્મા !” એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક : રહ્યા કરે તો “આત્મ-બા” મળ્યા વગર રહે જ નહિ.” ૪૪.
N®છo o o o o -
૪૪ (બોલ). રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ.' (અર્થાતુ) રુચિમાં પોષાણ થાય), રુચે. આહા..હા..! જેને અફીણ રુચે છે એને અફીણમાં પ્રેમ આવે છે, જેને શાકની રુચિ હોય) એને શાકમાં મજા આવે, જેને પત્તરવેલીયાનાં ભજીયા અને દૂધપાક (ભાવ) એને એમાં મજા આવે અને એનો રસ ચડી જાય, તૃપ્ત...તૃપ્ત (થઈ ગયો જાણે) ! આમ ઓ... (ઓડકાર) ખાય ! આહા..હા..! એમ જેને અંદરથી આત્માના