________________
૧૮)
વિચનામૃત-૪૭] (કહે છે કે) ....પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે. મારે આ જ કરવું છે... આ...હા..હા...! મારે તો એ આત્માનું જ્ઞાન અને આનંદ જ (પ્રગટ) કરવા છે. એવી જેને પ્રતીતિ અને જોર આવે તે વર્તમાન પાત્ર છે. તે જીવ વર્તમાન પાત્ર છે. એ પાત્રતામાં એ આત્માનો લાભ લઈ શકશે. આવી પાત્રતા નથી તેને આત્માનો લાભ મળી શકશે નહિ. આહા...હા..!
જુઓ ! આ પાત્રતા કીધી છે. આવા જીવ તો પાત્ર છે ! કે જેને આત્માની) એટલી લગની લાગી છે કે એનો સૂક્ષ્મ ઉપયોગ કદાચિત્ કામ ન કરે પણ પ્રતીતિમાં એટલું વર્તે છે કે આમાં ગયે છૂટકો અને એને મેળવ્ય છૂટકો ! એવો જેનો પ્રતીતિ ભાવ છે કે, સર્વ ધર્મકાર્ય કરતી વખતે લાભ તો મારા આત્માનો થવો તે છે.
(માટે) “મારે આ જ કરવું છે; તે વર્તમાન પાત્ર છે.” (અર્થાતુ) તે વર્તમાનમાં સમકિતદર્શન પામવાને પાત્ર છે. સમ્યગ્દર્શન પામવાને પાત્ર . લાયક છે. આ..હા....! જે સમ્યગ્દર્શન - વંસ મૂતો ઘો - જે દર્શન ચારિત્ર (૩૫) ધર્મનું મૂળ છે. એ સમકિત આવા પાત્ર જીવને પ્રાપ્ત થાય એવું છે. આહા..હા..! એ ૪૬ (બોલ પૂરો થયો).
*
*
*
*
*
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ કરોળિયો લાળમાં - બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે; તેમ જીવ વિભાવની જોળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ જણાય. ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાનઆનંદની મૂર્તિ - જ્ઞાયકમૂર્તિ છે, પણ પોતે પોતાને ભૂલી ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે. વિભાવની જાળમાં ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય બંધાયેલ : નથી.” ૪૭.
'અરે!