________________
૨૨૦
[વચનામૃત-૫૩]
મિથ્યાદષ્ટિનું ગાંડપણું - ઘેલછા છે. પણ પર્યાયમાં રાગ-દ્વેષ ને અજ્ઞાન છે એ પણ પોતાનું માનવું તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે. આહા.હા..!
એ અહીં કહે છે, નિવૃત્તિમય જીવનમાં....' (એટલે કે) રાગથી (હું) ભિન્ન છું, એવું જ્યાં અંતર(માં) નિવૃત્તિમય જીવન થયું, એને પ્રવૃત્તિમય જીવન ન ગમે. એને અંદર રાગ અને દ્વેષના પરિણામ આવે એવી પ્રવૃત્તિ એને ન ગમે. બહારની પ્રવૃત્તિ તો કરી શકતો જ નથી. આ ધંધા કરી શકતો હશે કે નહિ ? નહિ..? આ કાપડના લાખોના વેપાર, દસ-દસ, વીસ-વીસ, પચ્ચીસપચ્ચીસ લાખના કાપડનાં મોટા કપાટ ભર્યાં હોય, લાખોનાં વેપાર થતાં હોય, એ આત્માની પર્યાયમાં હશે કે નહિ ? રાગ છે, એ ચીજ નથી. ચીજ તો દૂર છે. એ મારાં છે' એવો રાગ એની પર્યાયમાં છે. આ..હા..હા..! વાતું જુદી જાત(ની) છે, બાપા !
અહીં તો આવી પડ્યાં છીએ, આફ્રિકામાં ક્યાંથી ક્યાં !? અહોભાગ્ય અમારાં !!
મુમુક્ષુ
પૂજ્ય ગુરુદેવશ્રી :- તમારી માંગણી હતી. કુદરતે એ બનવાનું હતું. એ બનવા કાળ છે. જે ક્ષેત્રે સ્પર્શ થવાનો (હોય) એ કંઈ ફરે એવું નથી. જે ક્ષેત્રે જે પર્યાય આવવાની તે ક્ષેત્ર ત્રણ કાળમાં ફરવાનું નથી. એ (પર્યાય કરી થતી નથી. આહા..હા..! જેને શાસ્ત્ર ‘ક્ષેત્ર સ્પર્શના' કહે છે. સ્પર્શનાન અર્થ અડતું નથી. પણ તે ક્ષેત્રે જવાનું હોય તે ક્ષેત્રે તે ત્યાં જાય જ. આ..હા..હા.. અહીં કહે છે, પ્રભુ તારી પર્યાયમાં પણ જ્યારે શરીર, વાણી, કર્મ ને સ્ત્રી, કુટુંબ, પરિવાર, કે પતિ-પત્ની કે કાંઈ (તારી) પર્યાયમાં નથી, પ્રભુ પર્યાયમાં હોય તો એ ‘એ મારાં છે,’ ‘હું એનો છું,’ એવી મિથ્યા ભ્રાિં તારી પર્યાયમાં છે. આહા..હા..! એ ભ્રાંતિની પર્યાયને એકવાર છેદ ને પ્રભુ ! આવા અવસર ફરી ફરીને મળવા મુશ્કેલ છે, નાથ ! આવાં મનુષ્યપણ મળવાં દુર્લભ છે ! એમાં પણ સાચો સત્તમાગમ અને વીતરાગ જિનવાણીમળવું એ તો મહા મુશ્કેલ છે !! આ..હા..હા...!
એકવાર તો કહે છે કે, નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. જેને રાગ અને દ્વેષ, પર્યાયમાં હોવા છતાં દ્રવ્યની દૃષ્ટિએ એમાં છે નહિ એવાં જેનાં સમ્યક્ જીવન થઈ ગયાં, એને રાગની પ્રવૃત્તિમય જીવન ગૌ નહિ. પરની ક્રિયાની પ્રવૃત્તિ(નો) કર્તા તો અજ્ઞાની પણ છે નહિ. કપડાંન