________________
વચનામૃત રહસ્ય
૨૨૩ મણ લાવે, પણ અહીં છ રૂપિયા ઉપજતા હોય કે સાડા પાંચ ઉપજતા હોય તો લાવે.
એમ અંદરમાં આત્માને... આહા..હા..! રાગ અને પુણ્ય-પાપ રુચે નહિ, એને ગોઠતા નથી. એનું પોષાણ તો આત્મામાં છે. આત્મા પોષાય છે. આ..હા..હા...! વાત ઝીણી, પ્રભુ ! '
તારી પ્રભુતાની વાતું શું કરવી નાથ ! અંદર ભગવત્ સ્વરૂપ છે ! પણ અત્યારે એ વાતું બહુ ઓછી થઈ ગઈ, બદલી ગઈ. પ્રવૃત્તિમાં બધું મનાઈ ગયું. એટલે અંદર નિવૃત્તિમય કોણ છે ? એ તત્ત્વની વાત જ ગુમ થઈ ગઈ ! આહા..હા..!
અહીં કહે છે, “બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. આ..હા.હા..!
૨
V “અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે ' પ્રતિકૂળતામાં તો સમજ....સમજ. કોઈ રીતે સમજ.....
સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા.” ૫૪
પ૪મો બોલ). અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ ” શરીરમાં રોગ આવે, શ્વાસ ચડે....ઘા પડે . આહા...હા...+ અંદરમાં રોગમાં રાડું પડે, રુવાંટે રુવાંટે રાડ પડે ! શરીર આમને આમ હોય પણ
અંદરમાં તણખા મારે... એવાં તણખા મારે..! એ શરીરમાં જો) અગ્નિ (પણ) બળે, પણ અંદર આત્માનું જો જ્ઞાન કરે તો એ અનુકૂળતામાં નથી સમજ્યો તો પ્રતિકૂળતા વખતે તો સમજ (કે) આવી સ્થિતિ આવીને ઊભી રહી છે એ જડની છે મારી નથી. મારે કારણે આવી નથી. એ તો એના કારણે ક્રમબદ્ધ અવસ્થામાં (એના) કારણે તે અવસ્થા બની છે. મારામાં એ છે નહિ. આહ....!
શરીરમાં જીવડાં પડે ! એકવાર કહ્યું હતું ને ? એક અઢાર વર્ષની