________________
વચનામૃત રહસ્ય
૨૨૭ અંદરમાં જવામાં થોડો વખત લાગે, પણ એ કરવામાં મથ ! “....પણ ભાવના સફળ થાય જ. અંતરની ભાવના છે એ સફળ થયા વિના રહે નહિ. આ..........!
SS૦
૦
૦
/ “જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો; રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે ! તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો! બહારમાં ને બહારમાં રોકાઈ ગયો, ત્યાં ભાઈ ! આત્મપ્રાપ્તિ : કેવી રીતે થાય ?' પર. ' ' '
•
૫૬ (મો બોલ). હવે એક વાત કરે છે . જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી.....એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો મંથન કરે (કે)
ક્યાં ગઈ?_આહા...હા..! એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો એને માટે (ગોતવાની મહેનત) કરે. અરે... દીકરી બે-ત્રણ-ચાર હોય; ત્રણ-ચાર છોકરાં હોય ને ખાટલા પાથર્યા હોય અને (રાતના) વ ને દસ થાય અને એક ખાટલો ખાલી દેખે તો પૂછે કે, આ છોડી કેમ નથી આવી, ? ક્યાં છે ? ખાટલો કેમ ખાલી છે ? છોડી કેમ નથી આવી ? એને રાતે ગોતે ! પણ આ આત્મા ખોવાઈ ગયો એને ગોતતો નથી !! વસ્તુ ખોવાઈ ગઈ એને ગોતવા મથે છે, જે પર ચીજ છે. આહા...હા..!
(એ અહીં કહે છે કે, “જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો,...” એમાં ને એમાં જાણે રોકાઈ ગયો ! રોકાઈને ત્યાં ને ત્યાં રહી જાય. આહા..હા..! એમાં ....રોકાઈ ગયો....'