________________
૨૩૯
વચનામૃત રહસ્ય
દ્રવ્ય સ્પર્શતું નથી. ધર્મીને પર્યાય વેદનમાં આવે છે. શાંતિ...શાંતિ...શાંતિ... શાંતિ... બીજી રીતે કહીએ તો (એ) અકષાય ભાવ છે). આહા..હા..!
-
CM
એકવાર એ કહ્યું હતું - જેમ નિર્મળતા ૨ે સ્ફટિક તણી, જેમ નિર્મળતા ૨ે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે.... શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, શ્રી જિનવીએ ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે...' એ પુણ્ય - પાપના ભાવ કષાય છે. એનો અભાવ (થવો) તેને ભગવાને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ ? આ મંદિરો બનાવે ને લાખો રૂપિયા ખર્ચે ને કરોડો રૂપિયા ખર્ચે એથી કરીને એને ધર્મ થઈ જાય, એના જન્મ-મરણ મટે (એવું નથી). આ..હા..હા..! અહીંયા અંદર શાંત રસથી (ભરેલો) પ્રભુ પડ્યો છે ને ! અકષાય સ્વરૂપ કહો કે શાંત કહો કે ચારિત્ર કહો એવો એને અનાદિ અનંત ચારિત્રનો સ્વભાવ અંદર પડ્યો છે. એના ઉપર નજર કરતાં પર્યાયમાં જે શાંતિ પ્રગટે, તે શાંતિને - મુક્તિના માર્ગને સમ્યગ્દર્શન કહે છે. . આ સમ્યગ્દર્શન વિના જે કાંઈ કરવામાં આવે એ બધું એકડા વિનાના મીંડાં છે.' કોરે કાગળે એકડા વિનાના કરોડ મીંડાં (કરે) (તો) એની કોઈ સંખ્યા (થતી) નથી. આ..હા..હા...! આકરી વાત છે, પ્રભુ !
G
4)
અંદર શાંત...શાંત...શાંત... સ્વરક્ષિત ભગવાન બિરાજે છે). એને રાખે તો રહે, એવું નથી. એ તો સ્વરક્ષિત જ છે અને જ્ઞાનાનંદસ્વરૂપ છે. મરણ ટાણે પ્રભુ ! જો આ તને યાદ ન આવે... આહા..હા..! મરણ ટાણે જો આ સાધકપણું પ્રગટ્યું નહિ હોય (તો) એ મરણ ટાણે (તું) ભિંસાઈ જઈશ, દુઃખમાં ભિંસાઈ જઈશ, પીડાઈશ અને મરીને ઢોર ને નરકમાં જવું પડશે. આહા..હા..!
અરે..! એનો વિચાર (પણ) કે દિ' કર્યો છે ? (કે) મારું શું થશે ? હું અહીંથી (ક્યાં જઈશ) ? દેહ તો છૂટશે પણ હું કાંઈ છૂટવાનો છું ? છૂટવાનો છું (પણ) દેહથી (છૂટવાનો છું). દેહ છૂટે (ત્યારે) માણસ એમ કહે છે ને કે, એ જીવ ગયો ! એમ કહે છે કે જીવ મરી ગયો ? દહ છૂટે ત્યારે એમ કહે છે ને કે, Pulse હાથ આવતા નથી, બાપુ ! જીવ ગયો લાગે છે. આમાં જીવ લાગતો નથી. (અહીંથી) ગયો ત્યારે (બીજે) ક્યાંક રહ્યો છે કે નહિ ? અહીંથી ગયો ત્યારે ક્યાંક રહ્યો છે કે નહિ ? (તો) ક્યાં રહ્યો છે ? એ આત્માના ભાન વિના કષાય કર્યા હોય તો મરીને ઢોરમાં રહ્યો હશે ! આહા..હા..! જેણે આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનના