Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 259
________________ ૨૪૪ [વચનામૃત-૪૧૩] છે. આ..હા..હા..! એ ૪૧૨ થયો. “સર્વજ્ઞભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણે એ પોતાના સર્વગુણોના ભૂત-વર્તમાન-ભાવી : પર્યાયોના અવિભાગ પ્રતિષ્ઠદો સહિત - પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને, પર સમીપ ગયા વિના, પરસમ્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસમ્મુખ થતા નથી. પરસમ્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે . રોકાઈ જાય છે, ખીલતું નથી. પૂર્ણરૂપે પરિણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં, ત્રણે કાળનાં તેમ જ લોકાલોકનાં બધાં સ્વ-પર શેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય તેમ, સમસ્ત સ્વીપરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે; જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, જે હવે પછી થવાનું છે તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાનશક્તિ અદ્ભુત છે.” ૪૧૩. • • • ૪૧૩. ‘સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. ત્રણ લોકના નાથ આ જ આત્મા સર્વજ્ઞપણે થયાં છે). આ..હા..હા...! આ થઈ ગયા એની વાત છે. તેઓ પોતાને પૂર્ણપણે . પોતાના સર્વગુણોના.... પોતાના સર્વગુણોના ! “...ભૂત-વર્તમાન-ભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત....' એ શું કહ્યું ? પ્રભુનો સ્વભાવ તો સર્વજ્ઞ છે. ૪૭ શક્તિમાં લીધું છે. ૪૭

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268