Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૨ વિચનામૃત-૪૧૨] જ્યાં નિર્ણય કરે ત્યારે આત્મા રાગનો અને વર્તમાન પર્યાયનો પણ કર્તા નહિ. આહા..હા..! ત્યારે તે પર્યાયનો પણ જ્ઞાતા-દ્રષ્ટા થઈ જશે, ગજબ વાત છે, ભાઈ ! " એ અહીં કહે છે . અંદરમાં એ પ્રયત્ન કર, બાપુ ! આહાહા..! માથે મોત ભમે છે... આ..હા...હા...! ક્ષણે-ક્ષણે મોત તો ભમે છે. ક્યારે દેહ છૂટશે તેની ખબર નથી), એક મુમુક્ષુ વાત કરતાં હતાં, મારી ઉમરનો ૨૮ વર્ષનો મારો મિત્ર મારી પાસે બેઠો હતો. અમે બન્ને વાતું કરતાં હતાં. એને રોગ નહિ, કાંઈ નહિ. વાતું કરતાં હતાં ત્યાં ફૂ.... એટલું થયું ! મેં ત્યાં આમ જોયું તો - મરી ગયો !! કાંઈ કરતાં કાંઈ નહિ. આમ ફૂ.... (થયું, સ્થિતિ પૂરી થઈ ગઈ ! ફૂ.... એટલું થયું ત્યાં દેહ છૂટી ગયો. હજી તો વાતચીત કરતાં હતાં. દેહ છૂટવાને કાળે પહેલા કોઈ પ્રસંગ આવશે કે, હવે હું - મરણ આવું છું, હોં...! એમ કહીને) મરણ નહિ આવે. મરણ ત્યાં પૂછવા નહિ આવે. આહા..હા..! અકાળે જ આમ મૃત્યુ થઈ જશે. “અકાળે શબ્દ - તને ખ્યાલમાં નથી એ અપેક્ષાએ (અકાળ છે). બાકી તો કાળે તો તે જ કાળ છે. આહા..હા..! માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને... છે ? -એમ વારંવાર સ્મરણમાં લાવીને.... આ..હે..હા...! ...પણ તું પુરુષાર્થ ઉપાડ... એ મોતને વારંવાર યાદ કરીને પણ પુરુષાર્થ ઉપાડ (એમ કહે છે). “.......કે જેવી અબ હમ અમર ભયે, ન મરેંગે...' આ....હા..હા...! જેને એ આત્માનું જ્ઞાન થાય.... ‘અબ હમ અમર ભયે ન મરેંગે - હમ મરતા નહિ. હમ તો અમર હો ગયે. અમારો આત્મા અમર છે). અમે અમરને જાણ્યો, અમરને અનુભવ્યો, અમરની પ્રતીતિ કરી - અબ હમ ન મરેંગે.' એ આનંદઘનજીનું વચન છે. શ્વેતાંબરમાં એક આનંદઘનજી થઈ ગયા છે. “અબ હમ કબહુ ન મરેંગે !” આ.........! એ કહે છે, જુઓ ! “અબ હમ અમર ભયે, ન મરેંગે... શાંતિના નાથનું જો અંદર રટણ હશે, અંતર જ્ઞાતા-દૃષ્ટા ને આનંદનું જો રટણ હશે તો “અબ હમ અમર ભયે . આત્મા અમર છે. આત્મા કોઈ દિ મરતો નથી. આહા..હા..! આત્મા તો અમૃતનો સાગર છે. એટલે ? અમૃત એટલે ? જે

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268