________________
૨૪૧
-
-
-
-
-
-
-
-
વચનામૃત રહસ્ય એના વિના એક સમય (પણ) શાંતિ ન મળી.
એ અહીં કહે છે કે જો આત્મામાંથી) શાંતિ પ્રગટ કરી હશે, તે. તે એક જે તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર.' પછી કરીશ.... પછી કરીશ, એમ વાયદો રહેવા દે ! ‘જેને જેની રુચિ હોય તેને તેના વાયદા ન હોય, જેમાં જેને રુચિ હોય તેનો વાયદો ન હોય. આ...હા...હા..! એમ જો આત્માની રુચિ હોય તો એને વાયદો નહિ હોય કે, હમણાં નહિ, પછી કરશું. પછી કરશું.... પછી કરશું... અને પછી કરશું રહેશે! સમજાણુ કાઈ ? આહા...હાં..!
એક દાખલો આવે છે. વાણિયાનું જમણ હતું, એમાં બારોટ આવ્યાં, બારોટ કહે કે, “અમને પણ જમાડો, તમારા પાંચ-પાંચ હજાર માણસ જમે છે એમાં ભેગાં અમે પાંચસો બારોટ છીએ (અમને પણ) જમાડો !' વાણિયાએ કહ્યું “આજ નહિ કાલે ! કાલે વાત આજે નહિ !' બારોટ) બીજા દિવસે (પાછા) આવ્યાં, (ત્યારે વાણિયાએ કહ્યું, “શું લખ્યું છે આ ? - આજ નહિ કાલ !? એ કાલ કોઈ આવે નહિ ને બારોટ કોઈ દિ' જમે નહિ. આહા..હા.....! એમ હમણાં નહિ... હમણાં નહિ... હમણાં નહિ.... જે કરે છે એની) પછી પહેલાં આવે નહિ અને હમણાં નહિ.. હમણાં નહિ... (કરતાં કરતાં એમને એમ મરીને હાલ્યો જઈશ ચોરાશીના અવતારમાં !! આહા...! (જેમ) બારોટને જમવાનું મળે નહિ, એમ આને સાચું કોઈ દિ' થાય નહિ. આહા..હા...! હમણાં નહિ પછી વાત. થોડું દીકરા-દીકરીયુંનું કરી લઈએ (પછી વાત). દીકરો ન હોય તો કોકનો દીકરો લે ! શું કહેવાય (એને ? દત્તક... દત્તક..! દત્તક લે ! આ..હા...હા...! અરે...! દીકરી ન હોય તો, દીકરીનો દીકરો હોય એને સાચવે ! આહા..હા...! પણ એને સાચવીને એ ત્યાં ને ત્યાં રોકાય. ભગવાન આત્મા અંદર ક્યાં ચીજ છે ? (એ શોધતો નથી). આ.હા..હા..! અરેરે...! અનંતવાર તેં (એ બધું) કર્યું, પ્રભુ !
અહીંયા કહે છે ...તે પ્રયત્ન કર.' એક જ પ્રયત્ન કર - આત્મ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે તેના તરફનો પુરુષાર્થ કર ! એ પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવો છે. ‘ક્રમબદ્ધ', ભલે હો. પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ છે. ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે. અકર્તાપણું થાય તો જ્ઞાતાપણું થાય. અકર્તા નિષેધથી (નાસ્તિથી) છે. જ્ઞાતાપણું અસ્તિથી છે. જે સમયે જે થવાનું (એવા ક્રમબદ્ધનો