________________
૨૩૮
[વચનામૃત-૪૧૨] પ્રભુ...! ગજબ વાતું છે બાપુ | સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માનું સત્ય (આ છે કે વ્યક્તિ પર્યાયને પણ અવ્યક્ત - ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ સચિદાનંદ, શાંતિનો સાગર સ્પર્શતો નથી ! આહા..હા..! એ પર્યાયને અડતો નથી. આ શું વાત છે !! સમયસાર ૪૯ ગાથામાં છે. “અવ્યક્તના છ બોલ છે. આહા..! આત્મા ત્રિકાલ છે - એ વ્યક્ત નથી. પણ વર્તમાન પર્યાય પ્રગટ છે તેને વ્યક્ત કહીએ. અને ત્રિકાળ જે પ્રગટ નથી તેને અવ્યક્ત કહીએ. એને પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહીએ, અપ્રગટ કહીએ. વસ્તુની અપેક્ષાએ તેને પ્રગટ કહીએ. અરે....! અરે....! આ ક્યાં સાંભળ્યું જાય !
આ અંતર(માં) પકડ્યા વિના એના જન્મ-મરણના આરા, ચોરાશીના ફેરા ફરવાના મટતાં નથી, બાપુ ! એ બહારમાં ગમે તે રીતે મનાવે અને માને કે આમ કર્યું ને ફલાણું કર્યું ને અમે આમ કર્યું, દાનમાં કરોડો પૈસા ખર્ચા માટે અમારા જન્મ-મરણ કાંઈક ઘટશે એમ માનવું) હરામ છે, (એમ) કહે છે. આ..હા....
અહીયા કહે છે કે, શાંતિનો સાગર પ્રભુ છે, કેમ બેસે....? કેમકે એનામાં એમ ચારિત્ર નામનો ગુણ અનાદિથી) છે. એ ચારિત્રગુણનું સ્વરૂપ શાંત છે. ચારિત્રગુણનું સ્વરૂપ અકષાય છે. એ અકષાય શાંત ભાવ ત્રિકાળ છે. એ શાંત ભાવને સ્પર્યા વિના એટલે પ્રગટ કર્યા વિના (જન્મ-મરણ નહિ મટે). (પ્રગટ થયેલો શાંત ભાવ ત્રિકાળીને સ્પર્શતો નથી. જરી ઝીણું પડે. પરમાર્થ ધર્મની શાંતિની જે પર્યાય છે. એ ત્રિકાળ શાંતસ્વરૂપ પ્રભુ છે. તેને તે અડતી નથી. આ..હા..હા...! કેમકે દ્રવ્યનું વદન હોતું નથી. વેદન પર્યાયનું હોય છે અને તેથી તો એમ કહ્યું છે કે આનંદ અને શાંતિનું જે વેદન હોય તે આત્મા (છે) ! અમારે તો તે આત્મા (છે). રાગ આદિ તો આત્મા નહિ પણ દ્રવ્ય પણ આત્મા અમારે નહિ !! અમારે દ્રવ્ય આત્મા નહિ ! (એમ કહ્યું) આ..હા..હા..! પ્રવચનસાર - ૧૭૨ગાથામાં) વીસમા બોલમાં કહ્યું
- રાગ- દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો આત્મા નહિ, એ તો અનાત્મા છે. આહા..હા..! પણ એક સમયની પર્યાય એ પણ દ્રવ્ય નહિ - વસ્તુ નહિ. નિર્મળ પર્યાય - સમ્યગ્દર્શન(ની) જ્ઞાનની, શાંતિની નિર્મળ પર્યાય - એ પર્યાયને