Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 244
________________ તે છે ' “મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? મને કોઈ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે ? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ? જો તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ - અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તે પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભયે, ન મરેંગે એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.” ૪૧૨. .િ ........ પ્રવચન-૧૩, વચનામૃત-૪૧ ૨ થી ૪૧૩ (વચનામૃત) ૪૧૨ બોલ). (આ બોલમાં) વૈરાગ્યની વાત છે. મરણ તો આવવાનું જ છે....' દેહને છૂટવાનો સમય નક્કી છે. એ સમયમાં ફેરફાર

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268