________________
તે છે '
“મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? મને કોઈ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે ? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ? જો તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ - અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તે પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભયે, ન મરેંગે એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી
શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.” ૪૧૨. .િ ........
પ્રવચન-૧૩, વચનામૃત-૪૧ ૨ થી ૪૧૩
(વચનામૃત) ૪૧૨ બોલ). (આ બોલમાં) વૈરાગ્યની વાત છે. મરણ તો આવવાનું જ છે....' દેહને છૂટવાનો સમય નક્કી છે. એ સમયમાં ફેરફાર