________________
૨૨૬
[વચનામૃત-૫૫] તમે બધાં પરમાત્મા થાઓ ! એવી વાત છે, લ્યો આ ! આ..હા..હા..હા...! ‘દ્રવ્ય સંગ્રહ (માં) છે. ‘દ્રવ્ય સંગ્રહમાં બતાવ્યું હતું ને ! ‘દ્રવ્ય સંગ્રહમાં એ છે. ‘તમે ભગવાન થાઓ ! પ્રભુ ! આ ભૂલી જાઓ ! દેહ-સ્ત્રીનો, નપુંસકનો ને ઢોરનો - એ દેહ તો જડનાં છે, ભૂલી જા, નાથ ! અંદર ચૈતન્ય આનંદનો સાગર ભગવાન બિરાજે છે, એની સામું કો'ક દિ નજર તો કર ! એ તું આખો પરમાત્મા (છો) ! તારા ગાણાં ગાતાં પરમાત્મા થાકી જાય છે !! આહા..હા..! અરેરે...! સાંભળવું મુશ્કેલ પડે. પ્રભુ ! ત્યાં હું એક વાર જો તો ખરો ! નજર તો કર !
એ અહીંયા કહે છે, “....વૈરાગ્ય લાવી આત્મામાં જા. એ ૫૪ થયો.
:
ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ થાય જ.” પપ.
N00 0 ૦ ૦ ૦ ૦
પપ(ભો બોલ). “ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી.... શું કીધું? ભગવાન ચૈતન્યસ્વરૂપની જેને અંદુર લગની લાગી, ભાવના તથઈ) એ નિષ્ફળ જતી નથી. બીજ વાવ્યું એ નિષ્ફળ જતું. નથી. બીજનું વૃક્ષ થાય, થાય ને થાય. બીજ વાવે એ નિષ્ફળ ન જાય. એમ જેણે આત્માનું સમ્યકરૂપી બીજ રોપ્યું, સમ્યક્ ભાવના કરી એ નિષ્ફળ જતી નથી. ....સફળ જ થાય છે.' બીજ વાવ્યું એનું વૃક્ષ થાય જ છે અને એના કરતાં અસંખ્યગુણા ફળ આવશે. બાજરો એક હોય પણ એના કૂંડામાં સેંકડો બાજરા થાય. એમ એકવાર તારા આત્મામાં) આનંદનું બીજ રોપ તો અનંત આનંદ તને (ફાલશે).!આહા..હા..! પ્રભુ ! તને અનંત આનંદ આવશે. આ..હા..હા..! છે ?
“..સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે . ધીમે...ધીમે...ધીમે..