________________
૨૨૪
વિચનામૃત-૫૪] બાઈ હતી. બે વર્ષનું પરણેતર હતું. એના ધણીને એ બીજી (સ્ત્રી) હતી. અમારે તો ત્યાં ઘણો પરિચય (છે). એમાં એને શીતળા નીકળ્યાં. “શીતળા’ સમજાય છે ? એ શીતળામાં દાણે-દાણે ઇયળ પડી ! કાણે-કાણે જીવ પડ્યાં ! ઇયળ ! આખા શરીરમાં....! અઢાર વર્ષની ઉંમર ! એનેતળાઈમાં સુવાડે, આમ ફેરવે તો આમ હજારો ઇયળો (પડે), આમ (બીજી બાજુ) ફેરવે ત્યાં હજારો (ઇયળો પડે) !! એ (ઇયળો) બટકા ભરે !! એ (એની બાને કહે છે) “બા !....' એમ કહેતી. લાઠીની વાત છે. છે લાઠીના કોઈ ? ધીરુભાઈના ડેલામાં . ઘણાં વર્ષ પહેલાંની વાત છે. બાઈને ઇયળો થયેલી એ (કહે છે) “બા ! મેં આવાં પાપ આ ભવમાં કર્યા નથી ! શું આવીને પડ્યું ? મારાંથી સહન થતું નથી ! સૂવાતું નથી, ફરાતું નથી, રહેવાતું નથી, શરીર ફરતું નથી.” શરીર આમ પડે તો ઇયળો બટકાં ભરે ! આહા.હા..! આખા શરીરમાં, (પછી તો) દેહ છૂટી ગયો.
એવાં દુઃખો આવે તો પણ કહે છે, સમકિતીને એની દરકાર રહે નહિ ! એમ કહે છે, આ..હા..હા...! જેણે જીવને રાગ અને શરીરથી જુદાં જાણ્યાં એના શરીરમાં એવી ઇયળો પડે.... કોઈ એવી) અશાતાનો ઉદય આવે.... આહા...હા..! તોપણ તેમાંથી એને પ્રવૃત્તિ રુચે નહિ, એને ગોઠે પણ નહિ. આ..હા..હા..! છે ?
અનુકુળતામાં નથી સમજતો. તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ....સમજ. કોઈ રીતે સમજ...સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા.” આહા...હા...! શરીરમાં રોગ આવે તો એ પ્રતિકૂળતા વખતે પ્રભુ ! એકવાર આમ અંદર જા ને ! અંદ્ર ભગવાન બિરાજે છે ! અરે...! કેમ બેસે ? હજી “એકડો આવડે નહિ એને આ બધી વાતું (કેમ) બેસે ? ભગવાન ! બેસાડવી પડશે, પ્રભુ ! નહિતર આ ભવ ચાલ્યો જશે. શરીરનો નાશ થઈને મસાણની રાખું થવાની !! આની તો રાખું (થવાની છે) ! અહીંથી અગ્નિ નીકળવાની !! આહા! આ (શરીર) કાંઈ સોનું નથી, સોનું હોય તોપણ શું ? આહા..હા..! એ શરીરથી જુદો છે, એમ) પ્રભુ ! એકવાર નક્કી કર ! નક્કી કરીને શરીરમાં દુઃખ આવે તે ટાણે તો સમજ, : અનુકૂળતામાં ન સમજ તો પ્રતિકૂળતા ટાણે તો સમજ, એમ કહે છે. આહા..હા..!
બાપુ ! બીજાને પ્રતિકૂળતા આવી એમ માનીને, મને નહિ આવે, એમ
=
=
-નિક
'