SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૨૨૩ મણ લાવે, પણ અહીં છ રૂપિયા ઉપજતા હોય કે સાડા પાંચ ઉપજતા હોય તો લાવે. એમ અંદરમાં આત્માને... આહા..હા..! રાગ અને પુણ્ય-પાપ રુચે નહિ, એને ગોઠતા નથી. એનું પોષાણ તો આત્મામાં છે. આત્મા પોષાય છે. આ..હા..હા...! વાત ઝીણી, પ્રભુ ! ' તારી પ્રભુતાની વાતું શું કરવી નાથ ! અંદર ભગવત્ સ્વરૂપ છે ! પણ અત્યારે એ વાતું બહુ ઓછી થઈ ગઈ, બદલી ગઈ. પ્રવૃત્તિમાં બધું મનાઈ ગયું. એટલે અંદર નિવૃત્તિમય કોણ છે ? એ તત્ત્વની વાત જ ગુમ થઈ ગઈ ! આહા..હા..! અહીં કહે છે, “બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. આ..હા.હા..! ૨ V “અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે ' પ્રતિકૂળતામાં તો સમજ....સમજ. કોઈ રીતે સમજ..... સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા.” ૫૪ પ૪મો બોલ). અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ ” શરીરમાં રોગ આવે, શ્વાસ ચડે....ઘા પડે . આહા...હા...+ અંદરમાં રોગમાં રાડું પડે, રુવાંટે રુવાંટે રાડ પડે ! શરીર આમને આમ હોય પણ અંદરમાં તણખા મારે... એવાં તણખા મારે..! એ શરીરમાં જો) અગ્નિ (પણ) બળે, પણ અંદર આત્માનું જો જ્ઞાન કરે તો એ અનુકૂળતામાં નથી સમજ્યો તો પ્રતિકૂળતા વખતે તો સમજ (કે) આવી સ્થિતિ આવીને ઊભી રહી છે એ જડની છે મારી નથી. મારે કારણે આવી નથી. એ તો એના કારણે ક્રમબદ્ધ અવસ્થામાં (એના) કારણે તે અવસ્થા બની છે. મારામાં એ છે નહિ. આહ....! શરીરમાં જીવડાં પડે ! એકવાર કહ્યું હતું ને ? એક અઢાર વર્ષની
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy