Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 233
________________ ૨૧૮ [વચનામૃત-૫૩] “નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ.' ૫૩. (૫૩ મો બોલ) ‘નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે.’ શું કહે. છે ? જે અંતરમાં રાગથી અને શરીરથી જુદો (આત્માને) જાણ્યો, એવાં નિવૃત્તિમય આત્માને રાગ આદિની પ્રવૃત્તિ રુચે નહિ. આહા..હા..! રાગ આવે ખરો, રાગ હોય ખરો, પણ રુચે નહિ એ કહે છે, જોયું ? નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે.' (અર્થાત્ પુણ્ય અને પાપના ભાવની પ્રવૃત્તિ (નિવૃત્તિમય આત્માને ન ગમે). આહા..હા..! શરીરની પ્રવૃત્તિ તો શરીરમાં રહી. આત્માની પર્યાયમાં (એ નથી). એ શરીર ને કર્મ ને સ્ત્રી ને કુટુંબ તારી પર્યાયમાં પણ નથી. શું કહ્યું એ ? તારું જે ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છે એમાં તો એ ચીજ છે નહિ પણ તારી વર્તમાન દશા છે, વર્તમાન પર્યાય છે, વર્તમાન હાલત છે, એમાં શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ એ પર્યાયમાં (પણ) છે નહિ. સમજાય છે કાંઈ ? એ તો એના સ્થાનમાં છે. તારી પર્યાયમાં પણ નથી ! શ૨ી૨, વાણી, મન, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મકાન એ તારી પર્યાયમાં પણ નથી. ૫૨દ્રવ્ય (પોતાની) પર્યાયમાં ક્યાંથી હોય ? પરદ્રવ્ય તો ૫રદ્રવ્યમાં છે. આહા..હા..! તારી પર્યાયમાં અવસ્થામાં હોય તો રાગ-દ્વેષ ને અજ્ઞાન છે. આહા..હા..! સમજાય છે કાંઈ ? ભગવાન ! 'અંદર દ્રવ્ય, ગુણ, પર્યાયનાં નામ પણ બરાબર સાંભળ્યાં ન હોય ! દ્રવ્ય કોને કહીએ ? ગુણ કોને કહીએ ? પર્યાય કોને કહીએ? દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ તે ત્રિકાળ દ્રવ્ય અને એ દ્રવ્યની શક્તિ

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268