________________
૨૦૮
[વચનામૃત-૫૦] નિજઘર - અંદર આનંદનો નાથ પ્રભુ બિરાજે છે, તેના ઘરમાં જવાનો પ્રયત્ન તો કર્યો નહિ. પણ ત્યાં જવું યોગ્ય છે . એવી જિજ્ઞાસા પણ કરી નહિ ! એમાં જવા લાયક છે, તેવી જિજ્ઞાસા પણ કરી નહિ !! એ અહીં કહે છે - તું સન્ની) ઊંડી...ઊંડી... જિજ્ઞાસા કર ! આહા..હા..!
બેન તો અતીન્દ્રિય આનંદના અનુભવમાં... રાતે થોડું બોલાઈ ગયેલું. એ ખાનગીમાં લખી લીધું. એને તો ખબર નથી કે આ લખાણું (છે) ! નવ બ્રહ્મચારી દીકરીઓએ લખેલું. પછી વાત બહાર આવી ગઈ.
આપણી તરફથી - સોનગઢથી બાવીસ લાખ પુસ્તક બહાર પડ્યું છે ! આઠ લાખ જયપુરથી પડ્યું છે. પણ કોઈ દિ' આપણે કાંઈ કહ્યું નથી કે, આ કરો કે પુસ્તક બનાવો કે મકાન બનાવો - દેરાસર કરો. અહીં તો તત્ત્વનો ઉપદેશ (છે) ! સાંભળવો હોય એ સાંભળે અને કરવું હોય એ કરો !! અહીં કોઈને કહેવાનું નથી કે, અહીં પાંચ હજાર દે ને દસ હજાર દે ! એ વાત અહીં કોઈ દિ ન મળે ! એ બહારની ક્રિયા તો બનવાની હોય એમ બને. અહીં તો આત્માની વાત કરવાની છે ! ' (અહીંયા કહે છે), (તું સની) ઊંડી...ઊંડી.... જિજ્ઞાસા કર “...જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ.... આ...હે....! પ્રભુ ! તારી મતિ સરળ અને સવળી કરી, વિકાર વક્ર અને અવળી છોડી દઈ (એમ કહે છે. આ...હા..હા..! તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. (અર્થાતુ) જો આત્માને રાગથી ભિન્ન કરી સરળ અને સીધી દશાથી જઈશ તો આત્મા તને મળી જશે. આત્મા આનંદપણે પરિણમી જશે. આ..હા....! છે ?
“સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે....' (અર્થાતુ) સત્ ચિદાનંદ પ્રભુ ! સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે કહ્યો તે ! એ વિના બીજા કોઈએ કહ્યો એ (નહિ). પરમેશ્વર ત્રણ લોકનો નાથ અરિહંતદેવ બિરાજે છે, એમણે કહ્યો એવો આત્મા, એના જો સંસ્કાર નાખ્યાં હશે, આ..હા..હા..! “સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં. (એટલે કે છેવટે આ ભવમાં સમકિત ન થાય તો બીજા ભાવમાં પણ સંસ્કાર (નાખ્યાં હશે તો ત્યાં જઈને) પામશે. આહા..હા..!
આ ધૂળની વાતું તો ક્યાંય રહી ગઈ ! પણ અંદર પુણ્યના પરિણામના પણ જો સંસ્કાર રહી ગયા (તો) રખડી મરીશ ચાર ગતિમાં ! ચોરાશીના