________________
વચનામૃત રહસ્ય
૨૧૧ સ્વભાવમાં (વાળ). શ્રદ્ધા, જ્ઞાનમાં ધ્યેયને ચૂકીશ નહિ. કરવાનું એ છે. એ વિના જન્મ-મરણના આરા, ચોરાશીના અવતાર મટશે નહિ. છે ?
આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું જે ધ્યેયે ચડ્યો.... (અર્થાતુ) આત્માના દ્રવ્ય સ્વભાવના ધ્યેયે ચડ્યો, “..તે પૂર્ણ કરજે... આહા...! આ ધ્યેય છે. બાકી આ વચમાં શુભ ભાવ આવે એ બધાં છોડવા જેવાં છે. આહા...! વટેમાર્ગુને
જ્યાં જાવું છે તેમાં વચમાં (બીજ) માર્ગ આવે તે છોડવા જેવા છે. આહા..હા..! - આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે ! ત્યારે આત્મા સત્ ચિદાનંદ ધ્રુવ શુદ્ધ (છે) તે ધ્યેયને પકડે છે અને એ ધ્યેય પકડતાં પ્રયત્ન તે તરફ ઢળે છે. તે પૂર્ણ કરજે, જે ધ્યેયે ચડ્યો તેને પૂર્ણ કરજે. આહા..હા..! ...જરૂર સિદ્ધિ થશે.' જરૂર મુક્તિ થશે. આહા...!
શબ્દો તો સાદા છે (પણ) ભાવ તો અંદરના અનુભવના છે. અનુભવમાંથી વાણી નીકળેલી છે. આનંદના અનુભવમાં બોલાઈ ગયું છે એ આ વાણી નીકળી ગઈ. અતીન્દ્રિય આનંદનો અનુભવ છે).
સમ્યદૃષ્ટિને સમ્યકજ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનું વેદન - અનુભવ હોય છે. આહા..હા..! ત્યારે તેને ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. આહા..! એ આનંદની લહેરમાં, અતીન્દ્રિય આનંદના ધ્યેયમાં પડેલો આત્મા, બાહ્યમાં અનેક પ્રકારના વિકલ્પો આવે છતાં તેને છોડતો જાય છે. તેનો આદર કરતો નથી. આ વસ્તુ છે.
(અહીંયા કહે છે) .....જરૂર સિદ્ધિ થશે.” ધ્યેયને પકડીને અંદરમાં જઈશ તો જરૂર તને મુક્તિ થશે. એમાં સંદેહને સ્થાન છે નહિ. પણ એ ધ્યેય પકડવું જોઈએ. આહા..હા..!
સવારમાં તો આવ્યું હતું ને ? પ્રથમ આત્માને જાણવો જોઈએ. એમ કહ્યું હતું. બીજી બધી વાત છોડી દેજે ! પહેલામાં પહેલો (આત્માને જાણી ! બેંગવાન અંદર પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ વીતરાગ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય તો નિરાવરણ છે. તેને દષ્ટિમાં લેતાં. બેયને પકડતાં, પર્યાયમાં જે આનંદ આવે એવા ધ્યેયને છોડીશ નહિ. આ..હા..હા..! આવી વાતું છે ! ...જરૂર સિદ્ધિ થશે. ૨૧મો બોલ (પૂરો થયો.
કલા અદર પૂર્ણ આમ તો નિરાવર
છોડીશ નહિ