________________
વચનામૃત રહસ્ય
ક્રિયા થાય તેમાં આત્માની અપેક્ષા નહિ, આહા..હા..!
...તેમાં આ શરીરાદિ મારાં'. શરીરાદિ મારાં (કહ્યું, એમાં) આદિમાં દીકરાં-દીકરી, પૈસા, આબરૂ, કીર્તિ, મકાન બધું (આવી જાય). આહા..હા..! એક ચૈતન્યતત્ત્વને છોડીને રાગથી માંડીને જેટલાં બાહ્ય તત્ત્વો છે તે બધાં મારાં, એ માન્યતા મિથ્યાત્વ અને વિપરીત શ્રદ્ધા છે. આહા. .હા..! પહેલો જ.એ એનો મિથ્યાત્વનો મહાન દોષ છે. એ દોષને ટાળવા શરી૨ શ૨ી૨નું કામ કરે, આત્મા આત્માનું કામ કરે' કરવું પડશે. આહા...!
""," -
એમ એને (બન્નેની) ભિન્ન(તાનું) જ્ઞાન
-
....તેમાં આ શરીરાદિ મારાં' એમ માની સુખ-દુઃખ ન કર,....' (અર્થાત્) શરીરમાં અનુકૂળતા દેખી, વિષયાદિના સાધનો દેખી, મને ઠીક પડે છે, મજા પડે છે’ એમ ન કર, પ્રભુ ! એ બધું દુઃખ છે. પ્રતિકૂળતાના સાધનમાં - શરીરમાં રોગ આવે, શરીરના કટકા થાય, ભૂકા થાય, આહા..હા..! ગાડામાં પિલાય, હાથીના પગ નીચે કચરાય (એ જોઈ દુ:ખી ન થા).
-
ટોડરમલજીને હાથીના પગ નીચે કચર્યા હતાં. મોક્ષમાર્ગ પ્રકાશક’ છે, જેણે બનાવ્યું છે એણે સ્પષ્ટ વાત કરી છે. એ વાત રાજાને,-કેટલાંકને ગોઠી નહિ. મોક્ષમાર્ગ પ્રકાશક' ! જે સત્ય હતું તે અંદરમાં મૂક્યું. બહારમાં આ (શાસ્ત્ર) આવેલું (તો) કેટલાંકને (વાત) ન ગોઠી (એટલે) રાજા પાસે ચાડી કરી (કે) સાહેબ ! આ તો સત્યનું બધું નુકસાન કરે છે ! શિવની મૂર્તિને ગુંજામાં રાખે છે ! અને એનો અનાદર કરે છે !' નાખેલી પોતે ! (આ સાંભળીને) રાજાએ હુકમ કર્યો કે એને હાથીના પગ તળે કચરો !' અ૨૨...! એ કાળ કેવો હશે ? જૈન હશે... જૈનના માણસો હશે ! છતાં એ કાળ એવો હતો (તો) એ રાજાએ હુકમ કર્યો (કે) ‘હાથીના પગ નીચે (કચરો) !’
હાથી આવ્યો. હાથી પણ પગ મૂકતાં જરી અચકાય છે. પોતે કહે છે, અરે...હાથી ! રાજાએ જ્યારે હુકમ કર્યો છે, ત્યારે તું શું કરવા અચકાય છે ? ભાઈ !' આ..હા..હા...! આમ શરીર પડ્યું છે. એની ઉપર પગ મૂક તું !’ આહા....! ‘મારો આનંદનો નાથ તેમાં નહિ કચરાય ! મારો પ્રભુ એનાથી ભિન્ન છે.' આહા...! પગ મૂકતાં એ હાથી અચકાતો હતો ! આવા જુવાન માણસને અરરર...! પગ મૂકવો ! (ટોડરમલજી કહે છે) ભાઈ ! રાજાને - જ્યારે આ રીતે બુદ્ધિ સૂઝી છે તો તું શું કરવા અચકાય છે ? ભાઈ !'
૨૧૩
-