Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 225
________________ “આકાશ-પાતાળ ભલે એક થાય પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ, તારા પ્રયત્નને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેયે ચડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે.’' ૫૧. પ્રવચન-૧૨, વચનામૃત-૫૦ થી ૫૬ વચનામૃત, ૫૧મો બોલ છે. ૫૦ થયા (ને) અહીંયા તો મુખ્ય વાત છે કે, આ આત્મા જે છે એ નિર્મળ (છે). અંદર ત્રિકાળ નિરાવરણ નિર્મળ છે. એના ધ્યેયને ચૂકીશ નહિ (એમ આ બોલમાં કહેશે). ૫૧મો બોલ. આકાશ-પાતાળ ભલે એક થાય....’ આહા...હા...! આકાશ ને પાતાળ ભલે એક થાય, ..પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ,....' ઝીણી વાત છે, ભાઈ ! ધ્યેય જે આત્મા છે, સત્ ચિદાનંદ પ્રભુ ! મંગલિક, ઉત્તમ અને શરણ એ અંદર ધ્રુવ સ્વરૂપ છે. એવા ધ્યેયને તું ચૂકીશ નહિ. લાખ વાત આવે, પ્રભુ ! આકાશને પાતાળ કદાચિત્ એક થાય તોપણ તારા ધ્યેયને તું ચૂકીશ નહિ. આ મુદ્દાની ૨કમ છે ! છે ? ....તારા પ્રયત્નને છોડીશ નહિ.’ અંદ૨માં જે પ્રયત્ન શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય (તે ખરો પ્રયત્ન છે). ઝીણી વાત છે, ભગવાન ! અંદરમાં શુદ્ધ સ્વરૂપ (સન્મુખ થવાનો) જે પ્રયત્ન થાય, તેને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું.' (અર્થાત્) આત્માના સ્વભાવને પોષણ મળે એ કાર્ય કરવું. અંતરમાં દર્શન, જ્ઞાન, બધું વીર્ય અંતર ચૈતન્યના 6

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268