________________
“આકાશ-પાતાળ ભલે એક થાય પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ, તારા પ્રયત્નને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેયે ચડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે.’' ૫૧.
પ્રવચન-૧૨, વચનામૃત-૫૦ થી ૫૬
વચનામૃત, ૫૧મો બોલ છે. ૫૦ થયા (ને) અહીંયા તો મુખ્ય વાત છે કે, આ આત્મા જે છે એ નિર્મળ (છે). અંદર ત્રિકાળ નિરાવરણ નિર્મળ છે. એના ધ્યેયને ચૂકીશ નહિ (એમ આ બોલમાં કહેશે). ૫૧મો બોલ. આકાશ-પાતાળ ભલે એક થાય....’ આહા...હા...! આકાશ ને પાતાળ ભલે એક થાય, ..પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ,....' ઝીણી વાત છે, ભાઈ ! ધ્યેય જે આત્મા છે, સત્ ચિદાનંદ પ્રભુ ! મંગલિક, ઉત્તમ અને શરણ એ અંદર ધ્રુવ સ્વરૂપ છે. એવા ધ્યેયને તું ચૂકીશ નહિ. લાખ વાત આવે, પ્રભુ ! આકાશને પાતાળ કદાચિત્ એક થાય તોપણ તારા ધ્યેયને તું ચૂકીશ નહિ. આ મુદ્દાની ૨કમ છે ! છે ?
....તારા પ્રયત્નને છોડીશ નહિ.’ અંદ૨માં જે પ્રયત્ન શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય (તે ખરો પ્રયત્ન છે). ઝીણી વાત છે, ભગવાન ! અંદરમાં શુદ્ધ સ્વરૂપ (સન્મુખ થવાનો) જે પ્રયત્ન થાય, તેને છોડીશ નહિ.
આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું.' (અર્થાત્) આત્માના સ્વભાવને પોષણ મળે એ કાર્ય કરવું. અંતરમાં દર્શન, જ્ઞાન, બધું વીર્ય અંતર ચૈતન્યના
6