________________
૨૦૬
[વચનામૃત-૪૯]
તુફ તેની દરકાર અને પ્રયત્ન કર્યો નથી. સાંભળવા મળ્યું ત્યારે એમ કરીને (કાઢી) નાખ્યું છે કે એ તો ઝીણી વાત છે, ઝીણી વાત છે. આપણું કામ નહિ એમાં !” એમ કરીને કાઢી નાખ્યું છે. આહા..હા..! એ તો અંદર ઘણી ઝીણી વાતું છે. એ તો ત્યાગી થાય એને સમજાય ! આવી કાંઈ આપણને
the
સમજાય ?”
મુમુક્ષુ - સુખ જ પોતે ઝીણું છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી :- (સાચા) દુ:ખ(ની) જ પણ અંદર ખબર પડતી નથી કે દુઃખ કોને કહેવું ?! વિષય-ભોગનો અશુભ રાગ થાય એ રાગ દુઃખ(રૂપ) છે. આહા...! અને પૈસાનું માન કરવું એ દુઃખ છે. અને શુભરાગ કરવો એ પણ દુઃખ છે. અરેરે...રે..! એ વાત કેમ બેસે ? એ શુભાશુભ રાગ તે દુઃખ છે, તેનાથી (પાછો) ફરી જા ! છે ? વેગમાં તણાતાં અટકવું.’
--
....કષાયના વેગમાં તણાતાં અટકવું,....' શબ્દ છે ? ‘....ગુણગ્રાહી બનવું.’ અંતર આત્મામાં આનંદ છે તે ગુણગ્રાહી બનવું. અંતરનાં ગુણને પકડનાર બનવું. આહા..હા.! ઝીણી વાત છે, પ્રભુ ! પુણ્ય-પાપ કષાયનો જે ભાવ છે તેને છોડીને ગુણગ્રાહી (બનવું). (અર્થાત્) આત્મા આનંદ, જ્ઞાન ને શાંતિનો સાગર છે તે ગુણને ગ્રહવા. તેથી તને આત્મા પ્રાપ્ત થશે. તે વિના આત્મા પ્રાપ્ત થશે નહિ. એ વિના પહેલી સમ્યગ્દર્શનની દશા પણ શરૂ નહિ થાય. આહા..હા..! છે ?
c/
→
...ગુણગ્રાહી બનવું.' ગુણગ્રાહી એટલે ? બીજાનાં ગુણ (ગ્રહવા) એમ નહિ. પુણ્ય ને પાપના બે ભાવ (છે). પ્રભુ ! એ બન્ને કષાય છે. બન્ને (થી) સંસારની ગતિમાં રખડવાનો લાભ મળે છે. તે કષાયથી ભિન્ન પડી અને ગુણગ્રાહી (બનવું). (એટલે કે) આત્મા આનંદ અને શાન છે, તે ગુણના ગ્રાહી બનવું. એ ગુણને પકડવા અંદર જાવું. આહા..હા..! ઝીણી વાત છે, પ્રભુ ! ભાષા તો આ સાદી (છે) પણ એના ભાવ ગંભીર છે છે ? બનવું.' આહા...! એ ૪૯ (પૂરો થયો).
•
..ગુણગ્રાહી
'-----
....