________________
વચનામૃત રહસ્ય
૧૮૫ કાંઈ માખણ નથી ચોપડતા) બાપુ ! આહા...! વીતરાગને કાંઈ કોઈની પડી નથી. વીતરાગ તો સત્ય છે તેને જાહેર કરે છે. આહા...! તારા કરોડ શું પાંચ કરોડ અને અબજ આપી દે, એમાં પણ જો રાગની મંદતા કરી હોય તો પુણ્ય (છે). અને એ “મેં આપ્યાં, એ મારા હતાં એમ માને તો મિથ્યાષ્ટિ છે. આહા..હા..! આવી વાતું !
મુમુક્ષુ :- પૈસા આપે અને પાછા મૂઢ કહેવા!
પૂજ્ય ગુરુદેવશ્રી : પૈસા પણ કે દિ' આપ્યાં છે) ? પૈસા ક્યાં એના હતાં ? પૈસા જડના છે. ચેતન્યના છે ? રાગ ચૈતન્યનો નથી ત્યાં વળી પૈસા એના ક્યાંથી આવ્યાં ? રાગ મંદ કર્યો હોય એ રાગ આત્માનો નથી આત્મા તો નિર્મળાનંદ સત્ ચિદાનંદ પ્રભુ છે. પર્યાયમાં રાગ થાય છે તે કલંક ને દોષ છે. | નિયમસારમાં બે ઠેકાણે એમ કહ્યું છે કે, શુભ ભાવ ઘોર સંસાર છે! એમ કહ્યું છે. આહા..હા...! અરે...! (આવું સાંભળવા ક્યાં મળે ? શુભભાવ ! એ ભક્તિ આદિનો શુભ ભાવ ! એને “ઘોર સંસાર' નિયમસારમાં બે ઠેકાણે કહ્યો છે. (તે) હોય છે, પણ છે સંસાર ! આહા..હા...! ----
અહીંયા કહે છે કે, એનાથી ભિન્ન અંદર ભગવાન છે). બંધાયેલો અને મુક્ત એ તો વ્યવહારનયથી છે. તે તો પર્યાય છે. મુક્તિ અને બંધ તો પર્યાય છે. આ..હા..હા..! સમજાય છે કાંઈ ? શું કહ્યું? ભગવાન આત્મા ! સેંકડના અસંખ્યમાં ભાગમાં એક સેંકડમાં પૂર્ણ મુક્ત સ્વરૂપ છે. તેને આત્મા કહીએ. તેને નિશ્ચયનયાથી) આત્મા કહીએ.
નિયમસારની ૩૮ ગાથામાં એમ આવ્યું છે કે, ત્રિલોકનાથ (સીમંધર ભગવાનની) વાણી કુંદકુંદઆચાર્યદેવે સુણી અને અંતરામાં) અનુભવ તો હતો, એ એમ વાત કહેવા માગે છે કે, જે કાંઈ આત્મા (વસ્તુ છે), (અર્થાતુ) જેને અમે “આત્મા’ કહીએ એ તો પર્યાય વિનાનો જે ત્રિકાળી છે તેને અમે “આત્મા કહીએ છીએ. રાગ વિનાનો તો ઠીક, પણ સંવર, નિર્જરા ને મોક્ષ(ની) પર્યાય વિનાનો) (અમે “આત્મા’ કહી છીએ). (વાત થોડી) ઝીણી પડશે, પ્રભુ ! શું કહ્યું ?
સંવર, નિર્જરા અને મોક્ષ ! (એટલે કે) મોક્ષનો માર્ગ (સંવર, નિર્જરા) અને મોક્ષ ત્રણે નાશવાન છે. તેથી ત્રણે વ્યવહારનયનો વિષય છે. નિશ્ચય