________________
૧૯o
વિચનામૃત-૪૭] શું કહેવાય છે એ ? ખિસકોલી નથી થાતી ? એ આમ આડા...આડા હોય છે. એના શરીર આડા હોય છે. કેમકે પૂર્વે આડોડાઈ બહુ કરી છે. કષાય બહુ સેવ્યો છે. માંસ ખાધું નથી. માંસ ખાય તો નરકમાં જાય. ક્રોધ ને માન ને માયા સેવી છે, એને લઈને એ તીરછાં શરીર - આડા શરીર પામ્યાં, (આમ) આડા...! માણસ આમ ઊભા છે. ઓલા આડા થયાં. તેથી તેને તિર્યંચ કહે છે. ગોમ્મદસારામાં આવે છે). તિર્યંચ એટલે તીરછો. આડા થયા કેમકે આડોડાઈ કરી માટે આડા થયાં. આહા..હા..!
પંચેન્દ્રિય તિર્યંચની સંખ્યા ઘણી છે. ઘણાં જીવો તો ત્યાં ઉપજવાના. કારણ કે ધર્મ નથી, આત્માનું જ્ઞાન નથી અને એવો બે-ચાર-છ કલાક(નો) સાચો સત્સમાગમ કે શાસ્ત્રવાંચન નથી, એને તો પુણ્ય પણ નથી ! એક કલાક (વાંચી) જાય, એકાદ કલાક ભક્તિ-પૂજા કરી લે, એ તો....શું કહેવાય ? ‘એરણની ચોરી ને સોયનું દાન ! સોનીની એરણ નથી હોતી ? એરણ મોટી લોઢાની ! એ ‘એરણની ચોરી ને સોયનું દાન' (એના જેવું છે. એમ ત્રેવીસ કલાકે પાપ કરે અને એક કલાક પુણ્ય-શુભ ભાવ કર્યા તો એ તો અંદર બળી જશે ! એમાં તારા પુણ્ય ઊંચા નહિ આવે.
એટલે અહીં કહે છે કે, “....જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં--જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે...' માણસ ફરીને એ કાંઈ ઢોર થયો નથી! એમ આત્મા ગમે તેવા કાર્યમાં જોડાય છતાં, આત્મા તો આત્મા રહ્યો છે. એ પામી શકે એવી એનામાં તાકાત છે. વિશેષ કહેશે........
- -
-
-
Vભાઈ ! તું વિશ્વાસ લાવ કે મારા આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભુલાઈ જાય એવી વસ્તુ હું
(પમાગમચાર-૧૯૭)