________________
૧૮૪
[વચનામૃત-૪] છે એ નરક અને નિગોદમાં રહેશે, આહા..હા..! અને જૈણે રાગને અને મુક્તિને પણ પર્યાયનયનો વિષય જાણી, ધ્રુવ ઉપર દૃષ્ટિ કરી છે તે અલ્પ કાળમાં મોક્ષને પામશે.
એ શ્લોક આવ્યો છે ને (પદ્મનંદી પંચવિશતીમાં) ? “તત્પતિ પ્રીતિવિજોન વેન વાર્તા fપ રિ સુતા' – આવી જે અબંધ (સ્વરૂપની) વાત () (તેને) પ્રીતિ કરીને સુણે - સાંભળે. અબંધ (એટલે) મુક્તસ્વરૂપ - ત્રિકાળ મુક્ત સ્વરૂપ ! મુક્ત થવું એ તો પર્યાય છે. (હું તો, મુક્ત સ્વરૂપ જ છું. એવી જે અંદરમાં દૃષ્ટિ થવી.... આ..હા..હા...! એ ભાગ્યશાળીને થાય છે, (અમ) કહે છે. આહા..! અને તેને અલ્પ કાળમાં અનંત સંસાર તૂટીને અનંત કેવળજ્ઞાનની પ્રાપ્તિ (થશે). ભવિષ્યમાં અનંત કાળ જ્ઞાન(માં) (અર્થાતુ) કેવળજ્ઞાનમાં રહેશે. અહીંથી (દેહ) છૂટશે અને પછી સાધકપણું રાખ્યું હશે તો સાધક(પણું) છૂટીને સાધ્ય - કેવળજ્ઞાન) થશે. અને અનંત કાળ કેવળજ્ઞાનમાં રહેશે અને આ ન સમજયો અને રાગને અને પૂરને પોતાના માનીને મિથ્યાત્વને જેણે સેવ્યાં છે, પ્રભુ ! (એ સંસારમાં રખડશે). આહા..હા..!
(એક) કલાક પૂજા ને ભક્તિ કરી માટે ધર્મ થઈ ગયો એમ માને, ભગવાનની પૂજા કલાક કરી એ તો રાગ (છે), શુભ રાગ છે, ત્યાં ધર્મ ક્યાં હતો ? આહા...હા...! શુભ ભાવ આવે (પણ એ કાંઈ) ધર્મ નથી.
પ્રશ્ન :- તો પછી મંદિરો શા માટે બનાવે છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- એ મંદિર. તો એને કારણે બને છે. કરનારનો (માત્ર) શુભ ભાવ છે એટલું. ભાવ હોય તો (એ) શુભ છે એટલું. બાકી એ તો એને કારણે રચાય. રજકણની પર્યાય એને કારણે રચાય છે. એ રજકણની પર્યાય બીજો રચે એ ત્રણ કાળમાં બનશે નહિ. આહા..હા..! .
પ્રશ્ન :- પથરા એમને એમ ખડકાઈ જતાં હશે ?
સમાધાન : એના મેળાએ ખડકાય છે. એક એક પરમાણુ તે ક્ષેત્રે, તે કાળે, તે અવસ્થા તેને થવાની, તે તે કાળે તેને કારણે થાશે. બીજો કહે કે, મારે કારણે આ મંદિર થાય અને હું મંદિરને બનાવી શકું છું, એ વાતમાં કાંઈ માલ નથી, બાપુ ! આહા..હા..! વાત એ છે કે લાખો (આપી દે) કે કરોડ દઈ દે, એ તો રાગની મંદતા કરીશ તો શુભ છે. પણ એ પૈસા મારા છે અને મેં દીધા, એવી માન્યતા તો મિથ્યાષ્ટિની મૂઢની છે. અહીં