________________
૧૮૬
વચનામૃત-૪હ્યું આત્મા તે સંવર, નિર્જરા અને મોક્ષથી ભિન્ન છે. આહા..હા..! હવે અહીં લઈ જવા...! આ અંદર (આત્મા) રામ સુધી લઈ જવા છે. આહા..હા...! L. (નિયમસાર) ૩૮મી ગાથામાં એમ આવ્યું છે કે, નવ તત્ત્વ છે તે નાશવાન છે. એક તત્ત્વ જે ત્રિકાળી પરમાત્મા તે ધ્રુવ છે. એ નવમાં સંવર, નિર્જરા (અર્થાતુ) ધર્મ-મોક્ષનો માર્ગ, મોક્ષ, કેવળજ્ઞાન, અનંત આનંદ એ પણ પર્યાયમાં નાખીને નાશવાને કીધાં છે. આ....હા..હા..! અવિનાશી તો અંદર ત્રિકાળ ધ્રુવ છે તે અવિનાશી છે. આહા...તેની દૃષ્ટિ કરવા જેવી છે, બાપુ ! આહા..હા..!
ત્યાં (સોનગઢમાં) તો બધાં ગ્રંથો વંચાઈ ગયા છે ને ! ૪૫ વર્ષથી ત્યાં ઘણાં શાસ્ત્રો વંચાઈ ગયાં છે. આહા..હા..!
નિયમસાર છે અહીંયા, એની અંદર છે. બે ઠેકાણે શુભરાગને) “ઘોર સંસાર' (કહ્યો છે). અને નિયમસારના શુદ્ધભાવ અધિકારની ૩૦મી ગાથા - પહેલી ગાથામાં તો જેને આત્માનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર થયાં છે અને મોક્ષ દશા થઈ છે – કહે છે કે, એ મોક્ષ દશા અને સંવર, નિર્જરા (એટલે) ધર્મ અને ધર્મનું ફળ મોક્ષ - એ બધું નાશવાન છે, કેમકે એ પર્યાય છે. ઝીણી વાત છે, બાપા ! આ...હા..હા..! પ્રભુ ! તારી વાત ઝીણી છે બહુ, પ્રભુ ! આહા..હા..! બહારમાં બધું એનું ચાલે છે અને એમાં લોકો રાજી રાજી થઈને રહે (છે), ખીચડો કરે છે !
અહીં તો ત્રણ લોકનો નાથ, ઇન્દ્ર અને ગણધરોની સભામાં દિવ્યધ્વનિ દ્વારા એમ કહેતાં હતાં, એ (વાત) કુંદકુંદઆચાર્ય કહે છે કે, સંવર, નિર્જરા અને મોક્ષ - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જે સમ્યક્ - સાચું છે અને તેનું ફળ મોક્ષ - બન્ને નાશવાન છે, કેમકે એ પર્યાય છે. આસવ, બંધની તો શું વાત કરવી ? આ..હા..હા..! પુણ્ય ને પાપના ભાવ જે કરે એ કાંઈ કલ્યાણ (નથી). ભક્તિ કરી, પૂજા કરી, ત્યાં થઈ ક્યો ધર્મ ! (એમ માને છે). (પણ) એ તો શુભ ભાવ છે, તે (પણ) રાખ્યો હોય તો ! ધર્મ તો
ક્યાં હતો ત્યાં ? આહા..હા...! એક કલાક જરી પૂજા, ભક્તિ કરે ત્યાં માને કે) થઈ ગયો. ધર્મ ! હવે ત્રેવીસ કલાક કરો પાપ !! આહા..હા..!
ત્રિલોકનાથ પરમાત્માની દિવ્યધ્વનિ એમ છે કે, “નિશ્ચય આત્મા’ એને કહીએ છીએ કે, સંવર, નિર્જરા અને મોક્ષનો પણ જેમાં અભાવ છે ! ત્રિકાળ ચીજ છે તેને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. સંવર, નિર્જરા અને મોક્ષને