________________
૧૭૮
[વચનામૃત-૪૬] હતો, અ પર્યાયમાં પૂર્ણપણે બહાર આવ્યો છે. આહા..હા...! એ ૪૫ બોલ (પૂરો થયો..
* “જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ • સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ • જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે, મારે આ જ કરવું
છે; તે વર્તમાન પાત્ર છે.” ૪૬.
૦
૦
0
૪૬ મો-બોલ). જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. આ.......! શું કહે છે ? ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જીવનને આત્મામય કરી લેવું જોઈએ. આત્મામય જ કરી લેવું જોઈએ, એમ કહ્યું છે). એને રાગ, લક્ષ્મી તો ક્યાંય રહી ગયાં), એનો તો એ કર્તા પણ નથી અને એની એ ચીજ પણ નથી. લક્ષ્મી મારી છે, એમ માને એ જડને પોતાનું માને છે. એ ચૈતન્યને - પોતાને માનતો નથી. આહા..હા..!
(સમયસાર) નિર્જરા અધિકારમાં એ આવે છે . હું એવા રાગને મારો માનું તો હું અજીવ થઈ જાઉં ! તો આ લક્ષ્મીજડ-ધૂળ તો ક્યાંય રહી ગઈ ! એ મારી છે અને હું એનો છું - એ મોટી મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા..! મોટી જૂઠી દૃષ્ટિ છે અને એના ફળમાં એને જૂઠો સંસાર રખડવાનો મળશે. આા.....!
માટે અહીંયા કહે છે, “જીવન આત્મામય જ કરી લેવું જોઈએ.. (બહારમાં) ગમે તે ચીજનો સંયોગ હોય તે ઉપરનું લક્ષ છોડી દઈ અને જીવનમાં આત્મા જ છું). ગ્લાયક છું. શુદ્ધ છું. ચૈતન્ય છું. આનંદ છું, પૂર્ણ છું અમ જીવનને આત્મામય જ કરી લેવું જોઈએ. આત્મામય જ કરી લેવું જોઈએ એમ કહ્યું છે), આ..હા..હા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હો !