________________
૧૭૬
[વચનામૃત-૪૫]
સ્વભાવ હતો તે પ્રગટ્યો..... છે. એ કાંઈ નવી ચીજ નથી. એ તો સર્વજ્ઞ સ્વભાવ જ એનો છે. ‘સર્વજ્ઞદેવ ૫૨મગુરુ' એ આ ! ‘સર્વજ્ઞદેવ પરમગુરુ ! (અર્થાતા) પોતે જ પોતાનો સર્વજ્ઞદેવ પરમગુરુ છે. આહા..હા..! એને જેણે જોયો અને પૂર્ણ (સ્વભાવનું) જેને લક્ષ છે તે પૂર્ણ સ્વભાવ પ્રગટ્યો નવીન શું ?” આ..ધ..હા..!
તેમાં
અનંત કેવળજ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય, -
એવું અનંતપણું પ્રગટ્યું તોપણ એમાં નવીનતા શું ? એ
તો હતી તે ચીજ
(પ્રગટમાં) આવી છે. અંદરમાં હતી તે બહાર આવી છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. હોય તેની પ્રાપ્તિ છે, ન હોય તેની પ્રાપ્તિ કોઈ દિ' હોઈ શકે નહિ. ‘કૂવામાં પાણી હોય એ અવેડામાં આવે’ એમ અંત૨માં જો પૂર્ણ સ્વભાવ હોય તો પર્યાયમાં પૂર્ણતા આવે. આહા..હા..! આવો ઉપદેશ છે ! આફ્રિકામાં - નાયરોબીમાં આવો ઉપદેશ !! તમારી માંગણીથી જ આવ્યાં છીએ. આહા..! મારગડા બાપા...! અંતરની શૈલી સાંભળવા (મેળવી) પણ મુશ્કેલ છે.
-
આયણ !
કહે છે કે, કદાચિત્ કેવળજ્ઞાન પ્રગટે (તોપણ જ્ઞાનીને નવીનતા લાગતી નથી). અંતરમાં એકલા જ્ઞાનરસનો પિંડ પ્રભુ છે, એમાંથી સ્વભાવની દશામાં પૂર્ણ સ્વભાવ પ્રગટે તોપણ નવીન શું (થયું) ? (તેમાં) નવીન શું ? એ (અંદરમાં) હતું એ આવ્યું છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. અંદર હતું તે બહાર આવ્યું છે. આહા...હા...! જ્ઞાનીને પૂર્ણતામાં સંતોષ આવતો નથી. એ પૂર્ણતાના ધ્યેયને ચૂકતો નથી. પૂર્ણતાના ધ્યેયને ચૂકતો નથી અને પૂર્ણતા પ્રગટે તોપણ તેને નવીન લાગતું નથી. આહા...હા...! છે ?
...તેમાં નવીન શું ? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. આહા...હા...! ચૌદ પૂર્વ અને બાર અંગનું જ્ઞાન થાય, અને મુનિપણાની ત્રણ કષાયના અભાવની દશા પ્રગટ થાય તોપણ તેને તેનું અભિમાન આવતું નથી.
આય..ય..!
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એક લેખ છે. કાર્તિકેય સ્વામી ! જે કાળે જે થવાનું એમ બધું આવે છે ને ? ક્રમબદ્ધનું ? એમાં એક એવો લેખ છે, સ્વામી કાર્તિકેયમાં ! કે, જેને આત્માના દર્શન થાય છે. એ પોતાને પર્યાયમાં પામર માને છે. શું કહ્યું ? અંદર (જેને) આત્મજ્ઞાન થાય છે, રાગથી અને