________________
વચનામૃત રહસ્ય
૧૭૫ તેના અનુભવના) સંતોષમાં ન આવ્યો. એને સંતોષમાં (એ આવ્યું કે, એ ધારણા થઈ એમાં સંતોષાઈ ગયો. અંતર આનંદકંદ પ્રભુ ભગવાન છે. તેના તરફ એની નજરું કરવાનો વખત પણ એણે લીધો નથી. આહા..હા..!
જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી... ધર્મી આને કહીએ, પ્રભુ ! આકરી વાત છે. ભગવાન ! અત્યારે તો બધી બહારથી ધમાધમ ચાલે અને ક્રિયાકાંડમાં (ધર્મ) મનાવી દે છે. કંઈક શાસ્ત્રની ધારણા થઈ ગઈ ત્યાં માની બેસે કે અમે સમકિતી છીએ ! (પણ) એ ચીજ એમ નથી. આહા..હા...! , | ‘જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી.... અજ્ઞાનીને અગાધ સ્વભાવની ખબર નથી. તેથી રાગની મંદતા અને શાસ્ત્રની ધારણાથી સંતોષાઈ જાય છે. આ....... “જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ.... (હોવાથી ક્યાંય સંતોષ થતો નથી). પૂર્ણ સ્વરૂપ પ્રભુ છે. પરમાત્મસ્વરૂપ જ છે. આત્મા ! . . . .
(સમયસારની), ૩૮મી ગાથામાં કહ્યું હતું ને ? છે એમાં ૩૮ ગાથા ? પોતાના પરમેશ્વરને ભૂલી ગયો - એમ શબ્દ છે. પોતાના પરમેશ્વરને ભૂલીને બધી વાતું કરે. ભલે રાગ મંદ કરે - દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, ગિરનાર ને શેત્રુંજય ને સમ્મદશીખરની જાત્રા કરી). પરંતુ પોતાના પરમેશ્વરને ભૂલીને) ! આહા..હા...! છે ને એમાં ? શું કીધું છે ? (જુઓ ! પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો.... પરમેશ્વર એ પોતાનો આત્મા ! આહા..હા..!
અનંત અનંત ઋદ્ધિ, આનંદ આદિ અનંત સંપદાનો સ્વામી પ્રભુ તો એને નજરમાં આવ્યો નહિ, એની નજરું કરી નહિ અને રાગની મંદતામાં સંતોષાઈ ગયો. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ છે. (એટલે) મારો પ્રભુ પૂર્ણ સ્વભાવે ભરેલો છે. આહા..હા..! (સેવા) પૂર્ણ સ્વભાવનું ...લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી.. (અર્થાતુ) તે સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ થાય તે અંશમાં અટકતો નથી. આહા..હા..! ધારણામાં તો અટકતો નથી, મંદ રાગમાં તો અટકતો નથી, પણ સમ્યગ્દર્શન અને જ્ઞાન(ની) દશા પ્રગટ) થાય, એટલામાં એ અટકતો નથી. પૂર્ણ સ્વરૂપમાં એનું મંથન છે. આહા..હા..! આવી વાત સાંભળવી કઠણ પડે...! (આ ચીજનો) અભ્યાસ નહિ. (અને બહારનો અભ્યાસ (છે. એટલે કઠણ પડે). આહા...!
કહે છે કે (જ્ઞાની) ...અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય....' કહે છે કે ભલે અંદરથી કેવળજ્ઞાન પ્રગટ થાય...! આ..હા..હા..! ...તોપણ
-
--
-
-..