________________
વર્ચનામૃત રહસ્ય
૧૭૩
આ..હા..હા..! એ શું કહ્યું ? પર્યાયને ઓળખીને કે રાગને ઓળખીને. આત્મા ઓળખ, એમ ન કહ્યું. કારણ કે પર્યાય તો એક સમયની છે. રાગ છે એ તો વિકાર છે. એ પર્યાયની અંતરમાં-તળિયાં અંદર તપાસ. આહા..હા..! ઘણી સાદી ભાષા પણ ઊંડું ઘણું છે. એનું તળિયું - પર્યાયનું તળિયું અંતરમાં તપાસીને આત્માને ઓળખ. એ વિના આત્માને ઓળખવાની કોઈ રીત નથી. આહા..હા..! આવું આકરું પડે માણસને !
શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી...' (અર્થાત્ કંઈક કષાયને મંદ (કર્યો), કંઈક શુભ પરિણામ કર્યાં ને શાસ્ત્ર વાંચીને કાંઈક ધારણા કરી, (એમ) ‘ થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે... એમ એને થઈ જાય છે. આહા..હા..!
અંદરમાં ભગવાન અનંત આનંદનો નાથ (બિરાજે છે). અનંત....અનંત... શક્તિઓ અને એક એક શક્તિનું અનંત અનંત બળ, એવી જે અંદર ધ્રુવ વસ્તુ એને જાણ્યાં વિના, શુભ પરિણામ અને થોડો જાણપણાનો પુરુષાર્થ કરી, મેં ઘણું જ કર્યું છે' એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. આ..હા...હા...! એ મંદ રાગની ક્રિયા કરી અને શાસ્ત્રના વાંચન આદિથી કાંઈક જાણપણું કરી ત્યાં અટકી જાય છે. સંતોષાઈ જાય છે કે, આપણે કાંઈક કર્યું ! આહા...! પણ એ ચીજ તો અનંતવાર કરી છે. એ શુભ રાગ અને ધારણા બન્નેની અંદર (પાતાળમાં) તળિયામાં આત્મા વસે છે (તેની ઓળખાણ ન કરી). આહા..હા..!
¿
سات
·
---=
·
(હવે કહે છે) ‘અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે,...' આ જરી ઝીણી વાત કરી થોડી ! .......ત્યાં તેને અભિમાન થઈ જાય છે;...' આહા..હા..! બેહદ (સામર્થ્યનો ધણી) ભગવાને અંદર બિરાજે છે. અનંત અનંત શાંતિના ૨સનો કંદ પ્રભુ બિરાજે છે. એના સામું જોવાનો પ્રયત્ન કરતો નથી, અને કંઈક શુભ ક્રિયાના પરિણામ કરી, શાસ્ત્રના શબ્દોની) કંઈક ધારણા કરી ત્યાં અટકી જાય છે અને મેં ઘણું કર્યું' એમ માને છે. આહા..હા..! ઝીણી વાત આવી આ !
-
શાસ્ત્રની ધારણા કરી છે એ પણ એક બીજી ચીજ છે. શુભ ભાવ એ પણ એક બીજી ચીજ છે. એટલું કરીને સંતોષ માને એ આત્માને અંદરથી યાદ કરી શકે નહિ. ધારણાથી યાદ રહે ત્યાં તેને અભિમાન થઈ જાય