________________
વચનામૃત. રહસ્ય
૧૭૧
મોકુ, કહું નાટક આગમ કેરો, તાસુ પ્રસાદ સધે શિવ મારગ, વેદે મિટે ઘટ વાસ વસેરો. (એટલે) આ ઘટ હાડકાંમાં રહ્યો છે. એ કલંક છે
આા..જી..!
ૐ આનંદનો નાથ ! અમૃતનો સાગર ! એ હાડકાં અને ચામડામાં આવીને અંદર ઊભો છે, એ ભવ કલંક છે ! .આ..હા..હા..! એ કલંક એનું ઊડી જાય છે, (એમ) કહે છે.
જેને આત્માનો રસ લાગ્યો, ચેતનરૂપ, અનુપ, અમૂરત', ચેતન રૂપ અનુપ (અર્થાત્) જેની ઉપમા નથી. સિદ્ધ સમાન સદા પદ મેરો’ મેરો પદ તો સિદ્ધ સમાન સદાય છે. આહા..હા..!
‘મોહ મહાતમ આતમ અંગ` - પણ પરમાં મોહને લઈને, આત્મના અંગનો અવયવ રાગ, એમાં હું ગૂંચાઈ ગયો. “મોહ મહાતમ આતમ અંગ, કિયો પ્રસંગ....' - મેં રાગનો પણ સંગ કર્યો, પરસંગ (કર્યો). “કિયો પરસંગ મહાતમ ઘેરો' - એ રાગના ઘેરામાં હું ઘેરાઈ ગયો. રાગના રંગમાં હું ઘેરાઇ ગયો. ‘જ્ઞાનકલા ઊપજી અબ મોટું' - ધર્મી કહે છે, હવે તો હું રાગથી રહિત, રાગ હોવા છતાં મારી ચીજ તો આનંદ છે, “જ્ઞાનકલા ઊપજી અબ મોકુ, કહ્યું નાટક આગમ કેરો’ સમયસાર નાટક કહીશ. આહા...!
4
-
‘તાસુ પ્રસાદ...’ તેના પ્રસાદે ‘...સધે શિવ મારગ’ શિવ (એટલે) મોક્ષનો માર્ગ સધે અને ઘટમાં વસવું એનું મટી જાય. આહા..હા..!
યોગીન્દ્રદેવના, દોહરામાં (આવે) છે. ભવ છે તે કલંક છે. જીવને જન્મ એ કલંક છે. પ્રભુ ! વીતરાગમૂર્તિ આનંદ ! અર૨૨...! એને આ ઢોરના, આ ગધેડાના સડેલાં શ્રીર એમાં એને રહેવું... કલંક છે ! (એમ) કહે છે.
આા..!
જેને અંદર આત્માની લાગી છે, એને લાગી એ લાગી જ છે, કહે છે. આહા..હા..! ગમે તે પ્રસંગમાં ‘મારો આત્મા...મારો આત્મા !'એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા કરે તો ‘આત્મા-બા’ મળ્યા વગર રહે જ નહિ.' આવી ખટક હોય તો અનુભવ થયા એવી ખટક ન હોય તો સંસાર મળ્યા વિના રહે
વિના રહે નહિ અને નહિ. વિશેષ કહેશે....
34 -